રોડ અકસ્માતમાં થયું મીમ સ્ટાર દેવરાજ પટેલનું નિધન, છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2023-06-27 10:58:47

દિલ સે બુરા લગતા હેં આ લાઈન સાંભળતા જ આપણને સોશિયલ મીડિયા મીમ ફેમ દેવરાજ પટેલ યાદ આવે. આપણી આંખોની સામે એ ડાયલોગ તેમજ તેની છબી આવી જતી હોય છે. પરંતુ છત્તીસગઢના પ્રખ્તાત યુટ્યુબરનું નિધન રોડ અકસ્માતમાં થઈ ગયું છે. મીમ ફેમનું નિધન થવાથી સોશિયલ મીડિયા પર શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈક પાછળથી આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા તેમનું નિધન થયું છે. દેવરાજના નિધન પર છત્તીસગઢના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. 

દિલ સે બુરા લગતા હૈ

અકસ્માતમાં થયું મીમ સ્ટારનું નિધન

સોશિયલ મીડિયા પર અનેક એવા મીમ હોય છે જે લોકો સાથે જોડાયેલા હોય છે. જો તમે એ મીમનો ડાયલોગ બોલશો તો તેમનો ચહેરો આપણા દિમાગમાં આવી જતો હોય છે. ત્યારે આવો જ એક ડાયલોગ દેવરાજનો હતો કે દિલ સે બુરા લગતા. આ ડાયલોગને બોલતા જ આપણને આખો સીન યાદ આવી જાય છે. પરંતુ દેવરાજનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. જેને કારણે તેનું મોત થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે. ત્યારે તેમના અકસ્માતથી તેમના ફેન્સમાં દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

છત્તીસગઢના મુખ્યમંત્રીએ ટ્વિટ કરી શોક કર્યો વ્યક્ત 

તેમના ફોલોવર્સમાં તો શોકની લાગણી જોવા મળી રહી છે પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ભૂપેશ બાઘેલે એક જુનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે હાસ્ય કલાકાર સાથે દેખાઈ રહ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે નાની ઉંમરે આ પ્રતિભાશાળીની ક્ષતિ થઈ છે. ઈશ્વર તેમના પરિવારને તેમજ તેમના ફેન્સને દુખ સહન કરવાની હિંમત આપે. મીમ સ્ટારના નિધનથી તેમના ફેન્સમાં શોકનો માહોલ  જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.