ગાંધી પરિવારના સભ્યો લેશે ભારત જોડો યાત્રામાં ભાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 15:51:56

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો આંદોલન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોશ ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આ યાત્રા નિકળી રહી છે. છેલ્લા એક મહિનાથી રાહુલ ગાંધી પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી પણ સામેલ થઈ શકે છે.
Sonia will contest from Rae Bareli in 2019 LS polls, says daughter Priyanka

સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી યાત્રામાં રહેશે ઉપસ્થિત

રાહુલ ગાંધી સતત પદયાત્રા કરી ભારત જોડો યાત્રાને આગળ વધારી રહ્યા છે. તેમની યાત્રા કર્ણાટક સુધી પહોંચી છે. ત્યારે સોનિયા ગાંધી 6 ઓક્ટોબરના રોજ આ યાત્રામાં સામેલ થવાના છે તેવી જાણકારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. પોતાની ખરાબ તબિયતને કારણે સોનિયા ગાંધી કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શક્તા નથી. પરંતુ તેઓ આ સપ્તાહ દરમિયાન ભારત જોડો યાત્રામાં ભાગ લેવાના છે. તેમની સાથે સાથે તેમની પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લેવાના છે.       

વડાપ્રધાન પર કર્યા પ્રહાર

કોંગ્રેસની આ યાત્રાને સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક લોકો કોંગ્રેસની આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. વધતા જનસમર્થનને કારણે રાહુલ ગાંધીના ઉત્સાહમાં પણ વધારો થયો છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક જગ્યાઓ પર વિવિધ લોકો સાથે મુલાકાત કરી હતી. ભારે વરસાદ દરમિયાન પણ રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નિશાન સાધ્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.