મહેસાણા: ડ્રાઇવિંગ લાયસન્સમાં સુધારો કરવા ખેડૂતના દોઢ વર્ષથી RTO કચેરીના ધરમ ધક્કા


  • Published By :
  • Published Date : 2023-12-13 22:42:33

આપણા ટેક્ષના પૈસામાંથી તગડો પગાર લેનારા સરકારી અધિકારીઓ સરકારી કચેરીઓમાં સામાન્ય માણસોને ધક્કા ખવડાવતા હોય છે અને આ વાત હવે આપણા માટે સામાન્ય થઇ ગઈ છે. કારણ કે કોઈ પણ કચેરીમાં જાઓ અરજદારોની આ ફરિયાદો હોય જ છે. આવી જ એક ફરિયાદ સામે આવી છે જેમાં એક ખેડૂત કાકા છેલ્લા દોઢ વર્ષથી પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ માટે ધક્કા ખાઈ રહ્યા છે


ડ્રાઇવિંગ લાયસન્સમાં ફોટો બદલાયો


મહેસાણા જિલ્લાના દેદીયાસણ ગામે રહેતા એક ખેડૂત જોઈતાજી તલાજી ઠાકોરે પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓ કચેરીમાં રીન્યુ કરવા માટે આપ્યું હતું પરંતુ આ લાયસન્સ રીન્યુ થઈને આવતા તેમણે જોયું તે ચોંકી ગયા કારણે આ લાયસન્સમાં અન્ય વ્યક્તિનો ફોટો અને નામ હતું. જેને લઈ અરજદારે રજુઆત કરતા મહેસાણા અને પાલનપુર RTO કચેરીના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી ધક્કા ખાતા અરજદારનું લાયસન્સ રીન્યુ ન થતા તેઓ પરેશાન બન્યા છે. 


પાલનપુર RTOમા કરી અરજી


જોકે તેમને પોતાના લાયસન્સના નામ અને ફોટોનો સુધારો કરવા મહેસાણા RTO કચેરી અરજી કરતા તેમને પાલનપુર RTOમા  મોકલવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂત અરજદાર પોતાના લાયસન્સમા નામ અને ફોટોની વિગતો સુધારવા પાલનપુર RTOમા પણ અરજી કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.