PM મોદીની મેઘાલયમાં ચૂંટણી રેલી, કોંગ્રેસને નિશાન બનાવી પરિવારવાદ પર કર્યા હાર


  • Published By :
  • Published Date : 2023-02-24 16:02:53

મેઘાલય વિધાનસભાનીને લઈ પીએમ મોદી રાજ્યનો પ્રવાસ કરી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયમાં રોડ શો પણ કર્યો હતો. શિલોંગમાં ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. મેઘાલયની તમામ 60 વિધાનસભા બેઠકો પર ભાજપે પ્રથમ વખત ઉમેદવારો ઉભા રાખ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડમાં મતદાન યોજાશે.  


PM મોદીના ભાષણમાં શું હતું ખાસ, વાંચો 10 મુદ્દાઓમાં


1-વડાપ્રધાન મોદીએ શિલોંગમાં એક રેલીને સંબોધતા કહ્યું, “મેઘાલયના હિતોને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના મુદ્દાઓ પર વિભાજિત કરવામાં આવ્યા. આ રાજકારણે તમારું ઘણું નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ઘણું નુકસાન કર્યું છે.


2-વડાપ્રધાન મોદીએ વંશવાદની રાજનીતિ પર પણ પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેઘાલય વંશવાદી રાજકારણથી મુક્ત હોવું જોઈએ. માત્ર દિલ્હીમાં જ નહીં, મેઘાલયમાં પણ પરિવારની પાર્ટીઓએ પોતાની તિજોરી ભરવા માટે જ મેઘાલયને એટીએમમાં ​​ફેરવી દીધું છે.


3-વડાપ્રધાને કહ્યું કે મને એ કહેતા આનંદ થાય છે કે મેઘાલય અને ઉત્તર પૂર્વના લોકો કમળ અને ભાજપની સાથે છે. મેઘાલયને 'પરિવાર-પ્રથમ' સરકારને બદલે 'લોકો-પ્રથમ' સરકારની જરૂર છે.


4-વડાપ્રધાને કહ્યું કે યુવાનો હોય, મહિલાઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેક જણ ભાજપ સરકારની માંગ કરી રહ્યા છે. મેઘાલયની સાથે-સાથે  ઉત્તર પૂર્વમાં ભાજપને સમર્થનની લાગણી કેટલાક પરિવારોના સ્વાર્થી કામનું પરિણામ છે.


5-PM મોદીએ કહ્યું કે કેટલાક લોકોને દેશે નકારી કાઢ્યા છે, જેઓ નિરાશાના ખાડામાં ડૂબી ગયા છે. તેઓ આજકાલ માળા જપે છે અને કહે છે કે મોદી, તારી કબર ખોદાશે, પરંતુ દેશ કહી રહ્યો છે, દેશનો ખૂણો-ખૂણો કહી રહ્યો છે- મોદી તારું કમળ ખીલશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.