ધંધુકામાં કાલે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, 2100થી વધુ બોટલ એકત્રિત કરાશે, આસ્થા ફાઉન્ડેશને કર્યું છે આયોજન


  • Published By :
  • Published Date : 2023-07-28 19:48:42

આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા આવતી કાલે એટલે કે 29 જુલાઈના શનિવારના રોજ આયોજીત કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન આસ્થા ફાઉન્ડેશનના સ્થાપક ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ ધંધુકા સ્થિત શ્યામઘાટ સ્કૂલમાં આવતી કાલે સવારે 9 વાગ્યાથી સાંજના વાગ્યા સુધી યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા 2100 જેટલી બોટલ એકત્રિત કરવાનું લક્ષ્ય છે. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપના કાર્યકરોએ આજે ધંધુકા શહેરમાં રેલી યોજી હતી. આ ગ્રુપના સભ્યો ધંધુકાની આસપાસના ગામોના લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 


આસ્થા ફાઉન્ડેશન વર્ષ 2018થી યોજે છે બ્લડ ડોનેશન કેમ્પ


આસ્થા ફાઉન્ડેશન સંચાલીત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ શહેરમાં અવારનવાર આ પ્રકારના બ્લડ કેમ્પનું આયોજન કરે છે. આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ  ચાવડાના નેતૃત્વમાં આસ્થા ફાઉન્ડેશનના નામથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત આ ગ્રુપ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. આસ્થા ફાઉન્ડેશન  સમૂહ લગ્ન અને બીજી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ જોડાયેલું છે. તેઓ દર વર્ષે 100થી વધુ દીકરીઓના લગ્ન કરાવે છે.


કોણ છે ઉપેન્દ્ર સિંહ ચાવડા?


ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હ્રદયદ્રાવક અકસ્માતમાં ઘર્મેન્દ્રસિંહ પરમાર નામના પોલીસકર્મીનું પણ મોત નિપજ્યું હતું. ધર્મેન્દ્રસિંહ તેમના ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતા. તેમને કાવ્યા બા નામની 1 વર્ષની દીકરી છે. આ દીકરીના અભ્યાસથી લઈને તમામ જવાબદારી આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ ચાવડાએ ઉપાડવાની જાહેરાત કરી છે. આસ્થા ફાઉન્ડેશનના ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા ધંધુકાના જાળીયા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. બિલ્ડીંગ કન્ટ્રકશનના કામ સાથે સંકડાયેલા ઉપેન્દ્રસિંહ સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે.  



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .