ક્ષત્રિય સમાજના આક્રોશને શાંત પાડવા સી.આર.પાટીલના નિવાસસ્થાને મીટિંગ, CM સહિત આ નેતાઓ હાજર... જાણો


  • Published By :
  • Published Date : 2024-04-02 11:39:18

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તે બાદ ગુજરાતની અનેક બેઠકો પર વિરોધ જોવા મળી રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહી છે. પરષોત્તમ રૂપાલા દ્વારા અનેક વખત માફી પણ માગવામાં આવી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વિવાદને શાંત કરવા માટે સી.આર.પાટીલના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે. તે ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા. બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર છે.


ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માગ

ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ખુલીને બહાર આવી રહ્યો છે. ભાજપની જેવી હાલની પરિસ્થિતિ છે તેવી કલ્પના તો કદાચ ભાજપે પોતે પણ નહીં કરી હોય...! અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારોના નામની ઘોષણા બાદ વિરોધ થઈ રહ્યો છે. એક વિવાદ શાંત થતો નથી ત્યાં તો બીજો એક વિવાદ શરૂ થઈ જાય છે.  આ બધા વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો ઉપરાંત એવી માગ પણ કરવામાં આવી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે..


સી.આર.પાટીલના નિવાસસ્થાને મળી બેઠક 

આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ પ્રતિદિન આ વિવાદ વધારે ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિવાદ શાંત પાડવા માટે આજે સી.આર.પાટીલના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત છે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અઘ્યક્ષ સી. આર પાટીલ ઉપરાંત ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, કેશરીદેવસિંહ હાજર રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠકમાં શું થાય છે?    




વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.