સ્વીડિશ જેનેટિસ્ટ સ્વાંતે પૈબોને મેડિસિનનું નોબેલ પ્રાઈઝ, નિયંડરથલ જીનોમ ક્ષેત્રે મહત્વનું સંસોધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:02:58

વર્ષ 2022 માટેના નોબેલ પ્રાઈઝની જાહેર થઈ ચુકી છે. આજે ફિઝિયોલોજી કે મેડિસિન કેટેગરીમાં નોબલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. સ્વીડનના વૈજ્ઞાનિક  સ્વાંતે પૈબોને માનવ વિકાસ અને ઉત્ક્રાંતિમાં અસાધારણ શોધ કરવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 


મેડિસિનના ક્ષેત્રે સ્વાંતે પૈબોને મળ્યો નોબેલ પુરષ્કાર


સ્વિડનના  સ્વાંતે પૈબોને ફિજિયોલોજી કે મેડિસિનના ક્ષેત્રે નોબેલ પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને વિલુપ્ત હોમિનિન અને માનવ વિકાસના જીનોમ સાથે સંકળાયેલા સંસોધન માટે આ પુરષ્કાર આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના સચિવ થોમસ પર્લમેનના કોરોલિંસ્કા સંસ્થાનમાં વિજેતાની ઘોષણા કરી હતી. નોબેલ સમિતિએ તેના નિવેદનમાં કહ્યું કે કોરોલિંસ્કા ઈન્સ્ટીટ્યુટમાં નોબેલ સમિતિએ આજે ફિજિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં 2022ના નોબેલ પુરષ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.


સ્વાંતે પૈબોનું સંસોધન શું છે?


સ્વાંતે પૈબોને તેમના સંસોધનમાં વિલુપ્ત હોમોનિન જીન હોમો સેપિયન્સમાં ટ્રાન્સફર હોવાનું જણાયું હતું. પૈબો પૈલિયોજેનેટિક્સના સંસ્થાપકો પૈકીના એક રહ્યા છે. તેમણે નિયંડરથલ જીનોમ અંગે વિશદ સંસોધન કર્યું છે. તેમણે અગાઉ અજાણ્યા હોમિનિન ડેનિસોવાની આશ્ચર્યજનક શોધ પણ કરી હતી.તે જર્મનીના લીપજિંગ શહેરમાં સ્થિત મૈક્સ પ્લૈક ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈવોલ્યૂશનરી એંથ્રોપોલોજી મેજેનેટિક્સ વિભાગમાં ડિરેક્ટર પણ રહ્યા છે.


આ સપ્તાહમાં દરરોજ એક નોબેલ પુરસ્કારની થશે જાહેરાત

 

નોબેલ કમિટીએ 2022ના નોબેલ પ્રાઈઝ આપવાનું શરુ કરી દીધું છે જે અનુસાર સોમવારે મેડિસિનમાં પહેલા નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે ફિઝિક્સ, બુધવારે કેમિસ્ટ્રી, ગુરુવારે સાહિત્ય અને શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારનું એલાન કરવામાં આવશે. 10 ઓક્ટોબરે ઈકોનોમિક્સના નોબેલ પુરસ્કારની પણ જાહેરાત થશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.