સ્વીડિશ જેનેટિસ્ટ સ્વાંતે પૈબોને મેડિસિનનું નોબેલ પ્રાઈઝ, નિયંડરથલ જીનોમ ક્ષેત્રે મહત્વનું સંસોધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:02:58

વર્ષ 2022 માટેના નોબેલ પ્રાઈઝની જાહેર થઈ ચુકી છે. આજે ફિઝિયોલોજી કે મેડિસિન કેટેગરીમાં નોબલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. સ્વીડનના વૈજ્ઞાનિક  સ્વાંતે પૈબોને માનવ વિકાસ અને ઉત્ક્રાંતિમાં અસાધારણ શોધ કરવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 


મેડિસિનના ક્ષેત્રે સ્વાંતે પૈબોને મળ્યો નોબેલ પુરષ્કાર


સ્વિડનના  સ્વાંતે પૈબોને ફિજિયોલોજી કે મેડિસિનના ક્ષેત્રે નોબેલ પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને વિલુપ્ત હોમિનિન અને માનવ વિકાસના જીનોમ સાથે સંકળાયેલા સંસોધન માટે આ પુરષ્કાર આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના સચિવ થોમસ પર્લમેનના કોરોલિંસ્કા સંસ્થાનમાં વિજેતાની ઘોષણા કરી હતી. નોબેલ સમિતિએ તેના નિવેદનમાં કહ્યું કે કોરોલિંસ્કા ઈન્સ્ટીટ્યુટમાં નોબેલ સમિતિએ આજે ફિજિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં 2022ના નોબેલ પુરષ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.


સ્વાંતે પૈબોનું સંસોધન શું છે?


સ્વાંતે પૈબોને તેમના સંસોધનમાં વિલુપ્ત હોમોનિન જીન હોમો સેપિયન્સમાં ટ્રાન્સફર હોવાનું જણાયું હતું. પૈબો પૈલિયોજેનેટિક્સના સંસ્થાપકો પૈકીના એક રહ્યા છે. તેમણે નિયંડરથલ જીનોમ અંગે વિશદ સંસોધન કર્યું છે. તેમણે અગાઉ અજાણ્યા હોમિનિન ડેનિસોવાની આશ્ચર્યજનક શોધ પણ કરી હતી.તે જર્મનીના લીપજિંગ શહેરમાં સ્થિત મૈક્સ પ્લૈક ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈવોલ્યૂશનરી એંથ્રોપોલોજી મેજેનેટિક્સ વિભાગમાં ડિરેક્ટર પણ રહ્યા છે.


આ સપ્તાહમાં દરરોજ એક નોબેલ પુરસ્કારની થશે જાહેરાત

 

નોબેલ કમિટીએ 2022ના નોબેલ પ્રાઈઝ આપવાનું શરુ કરી દીધું છે જે અનુસાર સોમવારે મેડિસિનમાં પહેલા નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે ફિઝિક્સ, બુધવારે કેમિસ્ટ્રી, ગુરુવારે સાહિત્ય અને શુક્રવારે શાંતિના નોબેલ પુરસ્કારનું એલાન કરવામાં આવશે. 10 ઓક્ટોબરે ઈકોનોમિક્સના નોબેલ પુરસ્કારની પણ જાહેરાત થશે. 




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.