મીડિયાએ અયોગ્ય, અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ: કર્ણાટક હાઈકોર્ટ


  • Published By :
  • Published Date : 2023-08-04 16:22:57

કર્ણાટક હાઈકોર્ટે તેના એક ચુકાદામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ઝાટકણી કાઢી હતી. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મેનેજમેન્ટને સમાચાર સામગ્રી રજુ કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. તે ઉપરાંત અદાલતે તે પણ કહ્યું કે મીડિયાએ અયોગ્ય અને અપમાનજનક ભાષા ટાળવી જોઈએ. કર્ણાટક હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વી શ્રીશાનંદે કહ્યું કે સમાજનો એક મોટો ભાગ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા સમાચારને દિવ્ય સત્ય માને છે. કોર્ટે કહ્યું કે સમાચાર રિપોર્ટોમાં અસંસદિય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા પહેલા અત્યંત સંયમ જાળવવો જોઈએ.


શું કહ્યું હાઈકોર્ટે?


કર્ણાટક હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું કે 'આજે પણ સમાજનો એક મોટો વર્ગ સમાચાર પત્રમાં પ્રકાશિત થતાં સમાચારોને પુષ્ટી કર્યા વગર કે સત્યાપન કર્યા વગર જ સત્ય માની લે છે. જ્યારે દેશની જનતા મીડિયા પર આટલો વિશ્વાસ કરે છે ત્યારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરનારા લોકોની ભૂમિકા સમાચાર રિપોર્ટ કરતા સમયે અસંસદીય કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં અત્યંત સાવધાની રાખવી જોઈએ'


સમગ્ર મામલો શું હતો?


કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ વર્ષ 2012માં બેંગલુરૂની સિવિલ કોર્ટના કોમ્પ્લેક્સમાં વકીલો, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ તથા અન્ય લોકો વચ્ચે થયેલી અથડામણનો કેસ સુનાવણી માટે આવ્યો હતો. આ ઘટના બાદ રાજ્યના મીડિયાએ તેમના સમાચાર રિપોર્ટમાં સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ ચેનલોએ વકીલો માટે 'તાલિબાન' અને 'ગુંડા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.  ત્યાર બાદ રાજ્યની બાર કાઉન્સિલે ગુનાહિત કેસમાં આરોપી પત્રકારો માટે કોર્ટમાં કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. 


ભૂલ માટે મીડિયાએ ખેદ વ્યક્ત કર્યો


આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ હતો અંતે સમાચાર પત્રો સંયુક્ત કર્ણાટક, હોસદિગંતા, નવોદય, અને કિત્તુર કર્ણાટક દ્વારા હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. આ સમાચાર પત્રોએ હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. અરજીકર્તાઓએ તેમના પ્રકાશનોમાં ખેદ વ્યક્ત કર્યો અને અદાલતમાં  તેમની સામે ચાલી રહેલા ગુનાહિત કેસને રદ્દ કરાવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમનો કોઈ ઈરાદો ફરિયાદી પક્ષને બદનામ કરવાનો નહોંતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.