કેન્સરને ડિટેક્ટ કરતા MCED બ્લડ ટેસ્ટથી લાખો લોકોના જીવ બચાવી શકાશે


  • Published By :
  • Published Date : 2022-11-01 21:02:42


કેન્સરનું નામ સાંભળતા જ ભલભલો માણસ ધ્રુજી જાય છે. આજે પણ વિશ્વનામાં કેન્સરની કોઈ રામબાણ દવા નથી. દુનિયાભરમાં દર વર્ષે લગભગ 95 લાખ લોકોના મોત કેન્સરથી થાય છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ એક સિમ્પલ બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સરની ડિટેક્ટ કરી શકાય તેવો દાવો કર્યો છે. હાલ આ ટેસ્ટનો ટ્રાયલ ચાલી રહ્યો છે, અને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. જો આ ટ્રાયલ સફળ રહ્યું તો કેન્સર સામે લડવામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. 



ટેસ્ટને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો જો બિડેનનો આદેશ


આ ટેસ્ટને મલ્ટિકેન્સર અર્લી ડિટેક્શન ટેસ્ટ (MCED) કહેવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ જો બિડેને MCEDને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે કેન્સરને ખતમ કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ ટેસ્ટ કેલિફોર્નિયાની ગ્રેઈલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રેઇલ કહે છે કે આ ટેસ્ટ 50 થી વધુ વિવિધ પ્રકારના કેન્સરને શોધી શકે છે.


આ ટેસ્ટ કેવી રીતે કામ કરે છે?


માનવ શરીરમાં જ્યારે કોઈપણ પ્રકારના કોષનું મૃત્યુ થાય છે, ત્યારે તેનો DNA લોહીમાં મુક્ત થાય છે અને તે તરતો રહે છે. જ્યારે કેન્સર કોષો કોષ પર હુમલો કરે છે, ત્યારે તે કોષ ગાંઠ કોષમાં ફેરવાઈ જાય છે. ટ્યુમર સેલમાં ડીએનએ પણ હશે, પરંતુ તે ડીએનએનો અલગ પ્રકાર હશે. જ્યારે ગાંઠ કોશિકાઓના ડીએનએ લોહીમાં તરતા હોય છે, ત્યારે MCED લોહીના પ્રવાહમાંથી સમાન ગાંઠના ડીએનએને ઓળખશે. આ નોન-સેલ ડીએનએ તે કયા પ્રકારના પેશીમાંથી આવ્યો છે અને તે સામાન્ય ડીએનએ છે કે કેન્સરગ્રસ્ત ડીએનએ છે તેની માહિતી આપશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે