કેન્સરને ડિટેક્ટ કરતા MCED બ્લડ ટેસ્ટથી લાખો લોકોના જીવ બચાવી શકાશે


  • Published By :
  • Published Date : 2022-11-01 21:02:42


કેન્સરનું નામ સાંભળતા જ ભલભલો માણસ ધ્રુજી જાય છે. આજે પણ વિશ્વનામાં કેન્સરની કોઈ રામબાણ દવા નથી. દુનિયાભરમાં દર વર્ષે લગભગ 95 લાખ લોકોના મોત કેન્સરથી થાય છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ એક સિમ્પલ બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સરની ડિટેક્ટ કરી શકાય તેવો દાવો કર્યો છે. હાલ આ ટેસ્ટનો ટ્રાયલ ચાલી રહ્યો છે, અને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. જો આ ટ્રાયલ સફળ રહ્યું તો કેન્સર સામે લડવામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. 



ટેસ્ટને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો જો બિડેનનો આદેશ


આ ટેસ્ટને મલ્ટિકેન્સર અર્લી ડિટેક્શન ટેસ્ટ (MCED) કહેવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ જો બિડેને MCEDને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે કેન્સરને ખતમ કરવા માટે આ એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આ ટેસ્ટ કેલિફોર્નિયાની ગ્રેઈલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રેઇલ કહે છે કે આ ટેસ્ટ 50 થી વધુ વિવિધ પ્રકારના કેન્સરને શોધી શકે છે.


આ ટેસ્ટ કેવી રીતે કામ કરે છે?


માનવ શરીરમાં જ્યારે કોઈપણ પ્રકારના કોષનું મૃત્યુ થાય છે, ત્યારે તેનો DNA લોહીમાં મુક્ત થાય છે અને તે તરતો રહે છે. જ્યારે કેન્સર કોષો કોષ પર હુમલો કરે છે, ત્યારે તે કોષ ગાંઠ કોષમાં ફેરવાઈ જાય છે. ટ્યુમર સેલમાં ડીએનએ પણ હશે, પરંતુ તે ડીએનએનો અલગ પ્રકાર હશે. જ્યારે ગાંઠ કોશિકાઓના ડીએનએ લોહીમાં તરતા હોય છે, ત્યારે MCED લોહીના પ્રવાહમાંથી સમાન ગાંઠના ડીએનએને ઓળખશે. આ નોન-સેલ ડીએનએ તે કયા પ્રકારના પેશીમાંથી આવ્યો છે અને તે સામાન્ય ડીએનએ છે કે કેન્સરગ્રસ્ત ડીએનએ છે તેની માહિતી આપશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.