મયૂર તડવી પાર્ટ-2! લોકરક્ષક ભરતી કૌભાંડનો પર્દાફાશ થતાં Yuvrajsinh Jadejaએ આપી પ્રતિક્રિયા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-08-23 17:37:23

રાજકોટમાં એલઆરડી ભરતી કૌભાંડ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોગસ સર્ટિફિકેટ લઈ પ્રવેશ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગમાં ભરતી થાય તે પહેલા જ આ કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યો હતો. ચાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શારીરિક કસોટીમાં નાપાસ થયેલા પ્રદીપ મકવાણાએ નકલી સર્ટિફિકેટ બનાવી પ્રવેશ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ કૌભાંડનો પર્દાફાશ થતાં યુવરાજસિંહ એક્ટિવ મોડમાં દેખાયા છે. યુવરાજસિંહે આ સમગ્ર ઘટનાને મયૂર તડવી સાથે સરખાવી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે મયૂર તડવી પાર્ટ 2 બનવા જતી ઘટના તંત્ર માટે એલાર્મ રૂપ. વધુમાં તેમણે લખ્યું કે વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા છે.

એલઆરડી ભરતી કૌભાંડ વિશે યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા 

ગુજરાતમાં ફરી એક કૌભાંડ સામે આવ્યું છે. એલઆરડી ભરતી કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા ચકચાર થઈ ગયો હતો. આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.  થોડા સમય પહેલા યુવરાજસિંહ અનેક કૌભાંડોનો પર્દાફાશ કરે છે. થોડા સમય પહેલા ડમી કાંડ મામલે તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. નકલી ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે છે. ત્યારે LRD ભરતી કૌભાંડને લઈ યુવરાજસિંહે સરકારને ઘેરી છે. 


જો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોત....

ટ્વિટ કરતા યુવરાજસિંહે લખ્યું કે વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પોહચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા છે. આ વખતે જે ડુપ્લીકેટ અને બોગસ નીમણુંક પત્ર બનાવવામાં આવ્યો છે તે ચોટીલા થી બનાવમાં આવેલ અને ફક્ત એક નહિ 28 નીમણુંક પત્ર બનાવમાં આવેલ. મયૂર તડવીની જેમ પ્રદીપ મકવાણા પણ ફિઝિકલ પરીક્ષા નાપાસ હતો અને નકલી કોલલેટર ને પાસનો સહી સિક્કા વાળો લેટર બનાવે છે. ભૂતકાળની ઘટના માંથી બોધપાઠ લઈ દંડાત્મક કાર્યવાહી થઈ હોત તો આ ઘટનાનું પુનરાવર્તન ન થયું હોત.



કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વમાં એક નવી સરકાર આવી ચુકી છે. આ નવી સરકારમાં વિદેશ મંત્રી તરીકે પેહલીવાર ભારતીય મૂળના અનિતા આનંદની નિમણુંક કરવામાં આવી છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીનો પ્રયાસ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવે સાથે જ તેમણે ચૂંટણી પ્રચાર દરમ્યાન આ માટે સંકેત પણ આપ્યો હતો . તો આવો જાણીએ ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે અને નવી કેનેડિયન સરકારમાં તેમની શું ભૂમિકા હશે?

હમણાં થોડાક સમય પેહલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં હુથી બળવાખોરો પર યમનમાં બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા . પરંતુ જયારે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર થકી સ્ટ્રાઇક કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ બહાર આવ્યું . શરૂઆતમાં ભારતને તેમણે કહ્યું કે આતંકવાદની સામેની લડાઈમાં અમે ભારત જોડે છીએ. હવે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાન કરવા નીકળી પડ્યા છે. આમ તેઓ બાપ બનવા નીકળી પડ્યા છે.

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?