Mayur Tadvi part 2 ! Yuvrajsinhએ નવા કૌભાંડનો કર્યો ઘટસ્ફોટ, સરકારી નોકરીમાં પણ નકલી ભરતી!


  • Published By :
  • Published Date : 2023-12-29 15:20:24

નકલીની ભરમાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ઘણા સમય પહેલા મયૂર તડવી નામનો વ્યક્તિ પોલીસ એકેડેમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો આવા અનેક નકલી અધિકારીઓ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. પૈસા આપી નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને સરકારી નોકરી મેળવી લેવામાં આવે છે. હજી સુધી નકલીનો ખેલ જોવા મળતો હતો પરંતુ આ વખતે જે કૌભાંડ સામે આવ્યું છે તે કૌભાંડનો બાપ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આ કૌભાંડમાં નકલી ડોક્યુમેન્ટ છે, નકલી સંબંધો છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે.

ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે 

આપણે ત્યારે કહેવાય છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે. પૈસા ફેંકો અને ડિગ્રી લઈ જાવ. પૈસા આપો અને નોકરી લઈ જાવ વગેરે વગેરે... અનેક વખત સરકારી ભરતીમાં કૌભાંડ થતા હોવાની વાત કરવામાં આવી છે. મયૂર તડવી પોલીસની ટ્રેનિંગ લેવા એકેડમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો અનેક એવા નકલી અધિકારીઓના કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી ઝડપાય છે.


કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે કરી પ્રેસ કોન્ફરન્સ 

ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો છે. પૈસા આપી સરકારી નોકરી લોકો મેળવી રહ્યા છે. કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે બે લોકોના નામ લીધા છે. એ લોકોએ એવી રીતે ઉમેદવારોને દર્શાવતા હતા કે તેમના સંબંધો અમિત શાહ અને હર્ષ સંઘવી સાથે હોય. કૌભાંડ અંગે ફરિયાદ કરવા જ્યારે યુવરાજસિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા.              


નકલી સંબંધોના આધારે આ લોકો કરાવતા હતા સેટિંગ 

ત્યારે યુવરાજસિંહ ફરી એક વખત કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે જેમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકોના નામની ચર્ચા થઈ રહી છે તેમનું એવું કહેવું છે કે તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના સગા છે ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમનો ઘરોબો છે. જે લોકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે તમામ સરકારી ભરતીમાં તેમનું સીધું સેટિંગ છે!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.