Mayur Tadvi part 2 ! Yuvrajsinhએ નવા કૌભાંડનો કર્યો ઘટસ્ફોટ, સરકારી નોકરીમાં પણ નકલી ભરતી!


  • Published By :
  • Published Date : 2023-12-29 15:20:24

નકલીની ભરમાર ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ઘણા સમય પહેલા મયૂર તડવી નામનો વ્યક્તિ પોલીસ એકેડેમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો આવા અનેક નકલી અધિકારીઓ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી કચેરી, નકલી ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. પૈસા આપી નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને સરકારી નોકરી મેળવી લેવામાં આવે છે. હજી સુધી નકલીનો ખેલ જોવા મળતો હતો પરંતુ આ વખતે જે કૌભાંડ સામે આવ્યું છે તે કૌભાંડનો બાપ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આ કૌભાંડમાં નકલી ડોક્યુમેન્ટ છે, નકલી સંબંધો છે. યુવરાજસિંહના કહેવા અનુસાર પોલીસ, સબઓડિટર, જીપીએસસી, રેલવે, આરોગ્ય ખાતામાં બનાવટી ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કેતન શાહ અને રણજીત ઓડે રૂપિયા લઈ લોકોને સરકારી નોકરી અપાવી છે.

ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે 

આપણે ત્યારે કહેવાય છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે. પૈસા ફેંકો અને ડિગ્રી લઈ જાવ. પૈસા આપો અને નોકરી લઈ જાવ વગેરે વગેરે... અનેક વખત સરકારી ભરતીમાં કૌભાંડ થતા હોવાની વાત કરવામાં આવી છે. મયૂર તડવી પોલીસની ટ્રેનિંગ લેવા એકેડમીમાં ઘૂસી ગયો હતો. તે બાદ તો અનેક એવા નકલી અધિકારીઓના કિસ્સાઓ આપણી સામે છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી ઝડપાય છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારી ઝડપાય છે.


કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે કરી પ્રેસ કોન્ફરન્સ 

ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો છે. પૈસા આપી સરકારી નોકરી લોકો મેળવી રહ્યા છે. કૌભાંડનો પર્દાફાશ કરવા માટે યુવરાજસિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે બે લોકોના નામ લીધા છે. એ લોકોએ એવી રીતે ઉમેદવારોને દર્શાવતા હતા કે તેમના સંબંધો અમિત શાહ અને હર્ષ સંઘવી સાથે હોય. કૌભાંડ અંગે ફરિયાદ કરવા જ્યારે યુવરાજસિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અનેક ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા.              


નકલી સંબંધોના આધારે આ લોકો કરાવતા હતા સેટિંગ 

ત્યારે યુવરાજસિંહ ફરી એક વખત કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામાં આવી છે જેમાં બે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોકોના નામની ચર્ચા થઈ રહી છે તેમનું એવું કહેવું છે કે તેઓ દેશના ગૃહમંત્રી અમિત શાહના સગા છે ઉપરાંત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમનો ઘરોબો છે. જે લોકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે તેમનું કહેવું છે કે તમામ સરકારી ભરતીમાં તેમનું સીધું સેટિંગ છે!



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!