મૌલાના અરશદ મદનીના આ નિવેદનથી ધર્મગુરુઓ ભડક્યા, જમીયતનું સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા


  • Published By :
  • Published Date : 2023-02-12 16:54:34

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત જમીયત ઉલેમા-એ-હિન્દના 34માં અધિવેશનનો આજે અંતિમ દિવસ છે. આ પ્રસંગે જમીયત ઉલેમા-એ-હિન્દના મૌલાના અરશદ મદનીના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. મદની RSS સુપ્રીમોના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનના પૂર્વજો એક સમાન જ છે. મદનીએ કહ્યું તમારા પૂર્વજો હિન્દુ ન હતા, તેઓ મનુ હતા, એટલે કે આદમ હતા. જો કે તેમના નિવેદનથી અધિવેશનમાં ઉપસ્થિત રહેલા વિવિધ ધર્મગુરુઓ ભડક્યા હતા, અને મદનીના વિરોધમાં સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા હતા.


અરશદ મદનીએ શું બફાટ કર્યો?


જમીયત ઉલેમા-એ-હિંદના સત્રના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના નિવેદન પર હંગામો થયો હતો. જમીયત ઉલેમા-એ-હિંદના 34માં સત્રમાં મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતનાએ નિવેદનની ટીકા કરી હતી કે અલ્લાહ અને ઓમ એક છે. જેમના નિવેદનના વિરોધમાં અધિવેશનમાં પહોંચેલા વિવિધ ધર્મગુરુઓ સ્ટેજ છોડીને જતા રહ્યા હતા.


અરશદ મદનીએ કહ્યું કે "મેં મહાન ધર્મગુરુઓને પૂછ્યું કે, જ્યારે કોઈ નહોતું, ન તો શ્રી રામ, ન બ્રહ્મા, ન શિવ, ત્યારે પ્રશ્ન થાય? ત્યારે મનુ કોની પૂજા કરતા હતા? કેટલાક કહે છે કે તેઓ શિવની પૂજા કરતા હતા, પરંતુ તેમની પાસે ઇલમ નથી. બીજી તરફ બહુ ઓછા લોકો કહે છે કે દુનિયામાં મનુ નામની કોઈ વસ્તુ નહોતી, તેઓ ઓમની પૂજા કરતા હતા, તો મેં કહ્યું ઓમ કોણ છે? પછી ઘણા લોકોએ કહ્યું કે તે પવન છે, જેનું કોઈ સ્વરૂપ નથી, જેનો કોઈ રંગ નથી, તે વિશ્વમાં દરેક જગ્યાએ છે. જેણે આકાશ બનાવ્યું, ધરતી બનાવી, મેં કહ્યું, ઓ બાબા, અમે તેને અલ્લાહ કહીએ છીએ, તમે તેમને ભગવાન કહો છો, અમે તેમને અલ્લાહ કહીએ છીએ, પર્શિયન બોલનારા તેને ખુદા કહે છે અને અંગ્રેજી બોલનારા તેને ભગવાન કહે છે. મતલબ કે મનુ એક અલ્લાહ, એક ઓમની પૂજા કરતા હતા, આ આપણા દેશની તાકાત છે."


જૈન ધર્મગુરુ લોકેશ મુનીનો વિરોધ 


જૈન મુનિ લોકેશે મૌલાના મદનીના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોને જોડવા માટે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. એવામાં આવા નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી. આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા ગયા. તેમના પછી અન્ય ધર્મના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો હતો.



હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.