મૌલાના અરશદ મદનીના આ નિવેદનથી ધર્મગુરુઓ ભડક્યા, જમીયતનું સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા


  • Published By :
  • Published Date : 2023-02-12 16:54:34

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત જમીયત ઉલેમા-એ-હિન્દના 34માં અધિવેશનનો આજે અંતિમ દિવસ છે. આ પ્રસંગે જમીયત ઉલેમા-એ-હિન્દના મૌલાના અરશદ મદનીના નિવેદન પર ભારે હોબાળો થયો હતો. મદની RSS સુપ્રીમોના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુ અને મુસલમાનના પૂર્વજો એક સમાન જ છે. મદનીએ કહ્યું તમારા પૂર્વજો હિન્દુ ન હતા, તેઓ મનુ હતા, એટલે કે આદમ હતા. જો કે તેમના નિવેદનથી અધિવેશનમાં ઉપસ્થિત રહેલા વિવિધ ધર્મગુરુઓ ભડક્યા હતા, અને મદનીના વિરોધમાં સ્ટેજ છોડીને ચાલી નિકળ્યા હતા.


અરશદ મદનીએ શું બફાટ કર્યો?


જમીયત ઉલેમા-એ-હિંદના સત્રના છેલ્લા દિવસે મૌલાના અરશદ મદનીના નિવેદન પર હંગામો થયો હતો. જમીયત ઉલેમા-એ-હિંદના 34માં સત્રમાં મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતનાએ નિવેદનની ટીકા કરી હતી કે અલ્લાહ અને ઓમ એક છે. જેમના નિવેદનના વિરોધમાં અધિવેશનમાં પહોંચેલા વિવિધ ધર્મગુરુઓ સ્ટેજ છોડીને જતા રહ્યા હતા.


અરશદ મદનીએ કહ્યું કે "મેં મહાન ધર્મગુરુઓને પૂછ્યું કે, જ્યારે કોઈ નહોતું, ન તો શ્રી રામ, ન બ્રહ્મા, ન શિવ, ત્યારે પ્રશ્ન થાય? ત્યારે મનુ કોની પૂજા કરતા હતા? કેટલાક કહે છે કે તેઓ શિવની પૂજા કરતા હતા, પરંતુ તેમની પાસે ઇલમ નથી. બીજી તરફ બહુ ઓછા લોકો કહે છે કે દુનિયામાં મનુ નામની કોઈ વસ્તુ નહોતી, તેઓ ઓમની પૂજા કરતા હતા, તો મેં કહ્યું ઓમ કોણ છે? પછી ઘણા લોકોએ કહ્યું કે તે પવન છે, જેનું કોઈ સ્વરૂપ નથી, જેનો કોઈ રંગ નથી, તે વિશ્વમાં દરેક જગ્યાએ છે. જેણે આકાશ બનાવ્યું, ધરતી બનાવી, મેં કહ્યું, ઓ બાબા, અમે તેને અલ્લાહ કહીએ છીએ, તમે તેમને ભગવાન કહો છો, અમે તેમને અલ્લાહ કહીએ છીએ, પર્શિયન બોલનારા તેને ખુદા કહે છે અને અંગ્રેજી બોલનારા તેને ભગવાન કહે છે. મતલબ કે મનુ એક અલ્લાહ, એક ઓમની પૂજા કરતા હતા, આ આપણા દેશની તાકાત છે."


જૈન ધર્મગુરુ લોકેશ મુનીનો વિરોધ 


જૈન મુનિ લોકેશે મૌલાના મદનીના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોને જોડવા માટે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. એવામાં આવા નિવેદન યોગ્ય નથી. મુનિ લોકેશે મંચ પરથી આ વાત કહી હતી. આ પછી તેઓ કાર્યક્રમમાંથી ઉઠીને ચાલ્યા ગયા. તેમના પછી અન્ય ધર્મના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.