જૂનાગઢમાં મામલો મેદાને|જવાહર ચાવડાનો પ્રધાનમંત્રીને ઉદ્દેશીને પત્ર, ભાજપ પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ


  • Published By :
  • Published Date : 2024-09-17 15:14:35

તમે કલ્પના કરી શકો કે એક પક્ષના પૂર્વ મંત્રી પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ પર ભ્રષ્ટાચારના એટલા ગંભીર આરોપ મુકે કે આવા નેતાઓના કારણે પ્રજાની વચ્ચે જવું મુશ્કેલ થઈ ગયું છે.... એ પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે... ભાજપમાં ચાલતો આંતરિક ડખા હવે ધીમે ધીમે બહાર ખુલીને આવી રહ્યો છે.. ભાજપના નેતાઓ જ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે..

PM Modiને સંબોધીને લખ્યો પત્ર

જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે જેમાં તેમણે અનેક મુદ્દાઓની વાત કરી છે.. જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું કે‘સત્યનો હંમેશા વિજય થાય છે આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની છે., આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ તેમાં અપવાદ છે. પત્રની શરૂઆત તેમણે કાગબાપુની રચનાથી કરી... તેમણે પોતાના પત્રમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરૂપયોગ કરીને બીજા સ્થાન પ્રાપ્ત કર્યા છે. 



ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ સામે શું પગલા લેશે?

મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક વિખવાદ ચરમસીમા પર હોય તેવું લાગી રહ્યું છે.. જોવાનું એ રહેશે કે આ પત્ર પછી ભારતીય જનતા પાર્ટી પોતાના જિલ્લા પ્રમુખ સામે શું પગલા લે છે, કિરીટ પટેલ આ પહેલા પણ ચૂંટણી સમયે જ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીના કારણે ચર્ચામાં આવી ચુક્યા છે, પણ આ વખતે સ્થિતિ અલગ છે, કહેવાતી શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના એક પછી એક રહસ્યો બહાર આવી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર રોકાશે કે કેમ, ભાજપ પોતાનાં જ કથિત ગેરકાયદેર બિલ્ડીંગ માટે શું પગલા લેશે...અને સૌથી મોટી વાત આ પ્રશ્નોના જવાબ રાજનીતિક મળશે કે નાગરીક હિતના એ મહત્વનું છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.