Mathura Train Accident:પાટા ઉપર ઉભા રહેવાના બદલે ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી, કોઈ જાનહાની નહીં, VEDIO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-09-27 17:34:28

મથુરામાં  એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે. રેલવે પાટા પર ચાલતી ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ. શકૂરબસ્તી-નવી દિલ્હી-મથુરા શટલ ઈએમયૂ ટ્રેન પ્લેટફોર્મ-બે પર ચઢી ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર  સામે આવ્યા નથી. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ આવી પહોંચી ત્યારે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા પેસેન્જરો ભાગવા લાગ્યા. આ ઘટનામાં પેસેન્જરો તો બચી ગયા પરંતુ અનેક પેસેન્જરોનો સામાન ટ્રેન નીચે આવી ગયો હતો. એવી પણ માહિતી સામે આવી હતી કે ટ્રેનમાં બેઠેલા મુસાફરો ઉતરી પણ ગયા હતા. 

પ્લેટફોર્મ પર ઉભી રહેવાની જગ્યાએ પ્લેટફોર્મ પર ચઢી ટ્રેન 

ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો મંગળવાર રાત્રે 10.55 વાગ્યાની આસપાસ લોકો પાયલટ ટ્રેનનું એન્જિન બંધ કરી ટ્રેનને બંધ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણસર એન્જીન બંધ થવાને બદલે જલ્દીથી ભાગવા લાગી. ટ્રેનને પ્લેટફોર્મ પર  આવતી જોઈ મુસાફરો ભાગવા લાગ્યા. મુસાફરો તો બચી ગયા પરંતુ તેમનો સામાન દબાઈ ગયો.

 


વીજળી પોલ સાથે અથડાતા ટળી મોટી દુર્ઘટના 

આ ઘટનામાં સારી વાત એ હતી કે આ દુર્ઘટના સર્જાઈ તેની થોડી જ દૂર વિજળીનો પોલ હતો. ટ્રેન એની સાથે ભટકાઈ અને રોકાઈ ગઈ. જો વીજળી પોલ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. મોટી દુર્ઘટના ન સર્જાઈ તેને લઈ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના કયા કારણોસર બની તેને જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઓડિશામાં થોડા મહિના પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ ટ્રેન આસપાસમાં ભટકાઈ હતી. એ રેલવે દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.