Mathura : કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ મામલે Supreme Courtએ કહી આ વાત, જાણો અલ્હાબાદ હાઈકોર્ટના કયા આદેશ પર લગાવ્યો સ્ટે?


  • Published By :
  • Published Date : 2024-01-16 14:58:53

એક તરફ અયોધ્યામાં રામ મંદિરને લઈ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે તો બીજી તરફ દેશની સર્વોચ્ચ ન્યાયાલયે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે જેમાં કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને સવાલ પૂછ્યો કે જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો, તો પછી હાઈકોર્ટે કેસને પોતાની પાસે કેવી રીતે ટ્રાન્સફર કર્યો?

હાઈકોર્ટના આ આદેશ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે 

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 14 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સર્વેની મંજૂરી આપી હતી. કોર્ટે આ મસ્જિદના સર્વે માટે કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો જેને લઈ મુસ્લિમ પક્ષ દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત


શું કહ્યું સુપ્રીમ કોર્ટે? 

મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સરવે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે રહેશે. આ નિર્ણયને કારણે હિંદુ પક્ષને મોટો ઝટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ પક્ષની દલીલો પર પણ સવાલ ઉઠાવ્યા છે. હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે, તમને શું જોઈએ છે.  આ અંગેની સુનાવણી 23 જાન્યુઆરીએ થશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.