મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2023-05-01 18:25:57

મથુરા શ્રી કૃષ્ણ-જન્મભૂમિ ઈદગાહ વિવાદ કેસમાં મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે અને પછી નવેસરથી સુનાવણી કરવા જણાવ્યું છે. એટલે કે આ મામલે હવે ફરી એકવાર બંને પક્ષોએ મથુરાના જિલ્લા ન્યાયાધીશની સામે પોતાની દલીલો રજૂ કરવી પડશે. હવે આ મુસ્લિમ પક્ષ માટે આંચકો છે કારણ કે તેઓ ફરીથી દલીલ કરવા માંગતા ન હતા.


મુસ્લિમ પક્ષને ઝટકો શા માટે?


તમને જણાવી દઈએ કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સિવિલ કોર્ટે સિવિલ સુટને જ ફગાવી દીધો હતો. આ નિર્ણયથી નારાજ શ્રી કૃષ્ણ વિરાજમાને જિલ્લા ન્યાયાધીશ સમક્ષ બીજી અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ મામલે સુનાવણી કરતી વખતે સિવિલ કોર્ટના નિર્ણયને બાજુ પર રાખી ત્યારબાદ સુનાવણીની મેટર બોલાવવામાં આવી હતી. પરંતુ મુસ્લિમ પક્ષ આ આદેશથી સંતુષ્ટ ન હતો અને આ મામલાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હવે આ જ મામલામાં હાઈકોર્ટે ઈદગાહ ટ્રસ્ટ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે.


આ સમગ્ર વિવાદ શું છે?


આ સમગ્ર વિવાદની વાત કરીએ તો મથુરામાં આખો મામલો શાહી ઈદગાહ મસ્જિદની 13.37 એકર જમીનનો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે કેશવ દેવના મંદિરને તોડીને અહીં એક ટીલા બાંધવામાં આવ્યો હતો. અંગ્રેજો 1803માં મથુરા આવ્યા અને 1815માં કટરા કેશવદેવની જમીનની હરાજી કરી દીધી હતી. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ જમીન બનારસના રાજા પટનીમલ દ્વારા 1410 રૂપિયામાં ખરીદી હતી. તે આ જમીન પર મંદિર બનાવવા માંગતો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અંગ્રેજો દ્વારા હરાજી કરાયેલી જમીનનો કેટલોક હિસ્સો મુસ્લિમને પણ સોંપવામાં આવ્યો હતો. આ જમીન બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.