માતા સિદ્ધિદાત્રી માતાજીની ઉપાસના કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓની થાય છે પ્રાપ્તિ, જાણો માતાજીને કયું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ


  • Published By :
  • Published Date : 2023-03-30 09:07:24

નવરાત્રીના દિવસો દરમિયાન માતા દુર્ગાના અલગ-અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીને માતા દુર્ગાનું નવમું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રીના નવમાં અને અંતિમ દિવસે જગત માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. માતાજી કમળ પર બિરાજમાન થયા છે. તેમની ચાર ભુજાઓએ છે. એક હાથમાં માતાજીએ ગદા ધારણ કરી છે. એક હાથમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં શંખ છે અને એક હાથમાં ચક્ર ધારણ કર્યું છે. 

Siddhidatri Devi ( Navratri 9th Day Goddess): Story, Beej Jaap Mantra &  It's Benefits - Rudra Centre


માતાજીની ઉપાસના કરવાથી કયા ફળની થાય છે પ્રાપ્તિ 

માતા પાર્વતીને જ સિદ્ધિદાત્રી માનવામાં આવે છે. એમની પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ, રોગ અને ભયનો નાશ થાય છે. માતા સિદ્ધિ અને મોક્ષ આપનારી છે. દેવી ભાગવત અનુસાર માતા લક્ષ્મીની જેમ સિદ્ધિદાત્રી માતા કમળ પર બિરાજમાન છે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા સિદ્ધિદાત્રી તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. સિદ્ધિદાત્રીની પાસે 8 સિદ્ધિઓ રહેલી છે. અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ રહેલી છે. માતાજીની ઉપાસના કરવાથી સાધકને તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એક માન્યતા અનુસાર આદિશક્તિ કોઈ રૂપ ધરાવતા ન હતા. જેથી મહાદેવના અડઘા અંગથી માતાજી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ થયા હતા. જેથી જ ભગવાન શંકર અર્ધનારીશ્વર સ્વરૂપે દર્શાવ્યા હતા


માતા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવાનો મંત્ર - 

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि।

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी

નવરાત્રી દરમિયાન મંત્ર જાપનો વિશેષ મહિમા રહેલો હયો છે. આ મંત્રનો જાપ કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. અનેક ભક્તો નવરાત્રીના નવમા દિવસે કન્યાપૂજન પણ કરે છે. નવમા દિવસે પ્રસાદના રૂપમાં માતાજીને તલ અર્પણ કરવામાં આવે છે. માતાજીને તલ અર્પણ કરવાથી મૃત્યુના ડરથી ભક્તને રાહત મળે છે. 




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.