Navratriના આઠમા નોરતે થાય છે માતા મહાગૌરીની આરાધના, જાણો કયું નૈવેદ્ય માતાજીને કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2023-10-22 13:42:14

આજે નવરાત્રીનો આઠમો દિવસ છે. આઠમના દિવસે માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમાં પણ નવરાત્રીની આઠમનો મહિમા અનેરો હોય છે. નવરાત્રી દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે અને આઠમાં નોરતે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આઠમું સ્વરૂપ માતા મહાગૌરીનું છે. મહાગૌરી માતા વૃષભ પર સવારી કરે છે. તેમની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાજી ત્રિશૂલ ધારણ કરે છે, બીજા હાથમાં તે ડમરૂ ધારણ કરે છે. ત્રીજા હાથમાં તેમણે અભય મુદ્રા ધારણ  કરી છે, અને ચોથા હાથથી માતાજી આશીર્વાદ ભક્તોને આપે છે. તેઓ સુખ અને સમૃદ્ધિ વધારનારા છે. તેઓ સદૈવ પોતાના સંતાન રૂપી ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે.



સાધકોને મનોવાંચ્છિત ફળની થાય છે પ્રાપ્તિ

ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માતાજીએ કઠોર તપ કર્યું હતું. કઠોર તપને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો હતો. જ્યારે ભગવાન શંકરે તેમનો સ્વીકાર કર્યો હતો. તપસ્યા પૂર્ણ થઈ અને તે સમયે માતા પાર્વતી પર ગંગાજળનો  અભિષેક કર્યો. તે બાદ માતા પાર્વતીજીને અતિ કાંતિમય સ્વરૂપની પ્રાપ્તિ થઈ. અને તેઓ શુભ્રવર્ણા બન્યા. માતાજી સ્વયં શ્વેત વર્ણના છે, જેને કારણે તેઓ મહાગૌરી નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય છે. ઉપરાંત સાધકને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીની આ સ્વરૂપની આરાધના કરે છે તેને માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. 

આ મંત્રનો કરવો જોઈએ જાપ

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ મંત્રોનો જાપ કરવામાં આવતો હોય છે. દરેક માતાજીને સમર્પિત મંત્ર હોય છે. દરેક દેવીને પ્રસન્ન કરવાનો વિશેષ મંત્ર હોય છે. માતા મહાગૌરીને આ મંત્રના ઉચ્ચારણથી પ્રસન્ન કરી શકાય છે.   

श्वेत वृषे समारूढा श्वेताम्बरधरा शुचि:|

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा||


અર્થાત જે માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. જે પ્રસન્નતા પ્રદાન કરનારી છે. તેવા માતા મહાગૌરી અમારૂ કલ્યાણ કરો.  નવરાત્રીના દિવસો દરમિયાન અલગ અલગ ભોગ અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના દિવસો પ્રમાણે ભોગ અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. આઠમા નોરતે શ્રીફળ માતાજીને અર્પણ કરવામાં આવે છે.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.