નવરાત્રીના ચોથા દિવસે થાય છે માતા કુષ્માંડાની પૂજા, જાણો કયું નૈવેદ્ય અને મંત્રથી કરવી જોઈએ આરાધના.


  • Published By :
  • Published Date : 2023-03-25 10:50:12

નવરાત્રીના દિવસો દરમિયાન નવ દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. માતા કુષ્માંડા માતા દુર્ગાનું ચોથું સ્વરુપ છે. શાસ્ત્રો પ્રમાણે માતા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી હોવાનું માનવામાં આવે છે. વાઘ મા કુષ્માંડાનું વાહન છે. માતા કુષ્માંડાને આઠ ભૂજાઓ છે, જેમાં વિવિધ અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. માએ કમંડળ, ધનુષ, બાણ, કમળ, માળા, ગદા, ચક્ર અને અમૃત કળશ ધારણ કર્યો છે. જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના ઉદરથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી હતી. મા કુષ્માંડાની ઉપાસના કરવાથી બધી મુશ્કેલીઓનો અંત આવે છે. કુષ્માંડા દેવીની આરાધના કરવાથી સાધકને રોગો, શોક અને તમામ દોષોથી મુક્તિ મળે છે.  


કયા મંત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા-

નવરાત્રી દરમિયાન કરેલા પાઠોનું વિશેષ ફળ મળતું હોય છે. દિવસ પ્રમાણે માતાજીના મંત્રનો જાપ કરવાથી મા પ્રસન્ન થઈ જાય છે. માતા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર -   


सुरासम्पूर्ण कलशं रुधिराप्लुतमेव च।

दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥


અર્થાત - જે માતાએ પોતાના હાથોમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીયે છીએ. આ મંત્રનો જાપ કરવાથી માતાજી સાધકને તમામ ભયમાંથી મુક્તિ આપે છે અને મનોવાંચ્છિત ફળ આપે છે. તેમજ જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓનો અંત માતાજીની ઉપાસના કરવાથી આવે છે.

મેંદાના માલપુઆ બનાવવાની રીત » Rasoiniduniya

કયું નૈવેદ્ય કરવો અર્પણ 

માતાજીને પ્રિય એવી નવરાત્રી દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા અલગ-અલગ દિવસે વિવિધ ભોગ માતાને અર્પણ કરવામાં આવે છે. જેથી માતા જલ્દી  પ્રસન્ન થાય છે. ત્યારે નવરાત્રીના ચોથા દિવસે માલપુઆનો ભોગ લગાવવામાં આવે છે. માતાજીને લાલ ચૂંદડી, લાલ સાડી. લાલ બિંદી તેમજ લાલ બંગડી અર્પણ કરવાથી મા પ્રસન્ન થાય છે. માતા કુષ્માંડાને પીળું કમળ વધારે પસંદ હોય છે.



વિશ્વ ટીબી દિવસ, જેને ટ્યુબરક્યુલોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 24 માર્ચે આ દિવસે ટીબીને લઇને જાગૃત્તિ ફેલાવવામાં આવે છે. આ સંદર્ભમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિવિધ દેશોમાં જરૂરિયાતમંદ લોકોને મદદનો હાથ લંબાવે છે. આ વખતે ટીવી ડે ની થીમ છે Yes! We Can End TB: Commit, Invest, Deliver

Comedians are not really having a good time, earlier this was happening in memes but now it is happening in reality, first India's Got Talent and now Kunal Kamra.. I don't know if there is controversy in comedy or if controversy is comedy.

ટેસ્લાના માલિક ઈલોન મસ્ક વિશ્વભરમાં ખુબ જ વિરોધનો સામનો કરી રહ્યા છે કેમ કે તેમની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા વધી રહી છે સાથે જ તેમણે યુરોપની ઘણી દક્ષિણપંથી પાર્ટીઓને સમર્થન આપ્યું છે. આટલું જ નહિ વિશ્વભરમાં ટેસ્લાના શેર્સમાં પણ કડાકો આવ્યો છે સાથે ટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ પણ ઘટી ગયું છે હવે તેમને આશા માત્ર ભારત સાથે જ છે . મુંબઈમાં તેમનો પેહલો શોરૂમ ખુલી ચુક્યો છે.

નાગર જ્ઞાતિના કુળદેવતા તરીકે જાણીતા હાટકેશ્વર મહાદેવનું આ મંદિર રાજ્યનું સાતમું યાત્રા પ્રવાસનધામ બન્યું છે.પુરાતન મંદિરની શિલ્પકલા વૈભવમય છે, જ્યાં વિશાળ મંડપ, શિલ્પો દ્વારા દર્શાવાયેલ વિષ્ણુના દશાવતાર તથા પાંડવોના અરણ્યવાસથી સંકળાયેલા શિલ્પો દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચે છે.વડનગરનું હાટકેશ્વર મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવર્ણ શિખર અને યજ્ઞશાળાની સુવિધા ધરાવતું મંદિર બનશે જે તેના ઇતિહાસ લોકો જાણશે દેશ-વિદેશથી નાગર સમુદાય સહિત હજારો ભક્તો દર વર્ષે હાટકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે.