માતા કુષ્માંડાની થાય છે નવરાત્રીના ચોથા દિવસે આરાધના, જાણો કયા મંત્રથી કરવી જોઈએ આરાધના અને કયું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ?


  • Published By :
  • Published Date : 2024-04-12 12:54:25

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે. માતા કુષ્માંડાને નવ દુર્ગાનું ચોથું સ્વરૂપ માનવામાં આવે છે.. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બહ્માંડની રચના કુષ્માંડા માતા દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. માતા કુષ્માંડા વાઘ પર સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાની આરાધના કરવાથી સાધકની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે. માતા કુષ્માંડાની આરાધના કરવાથી સાધકને રોગો, શોક અને તમામ દોષોથી મુક્તિ મળે છે... 


કેવું છે માતા કુષ્માંડાનું રૂપ? 

નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે, બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે જ્યારે ચોથા નોરતે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે.. માતા કુષ્માંડાના સ્વરૂપની વાત કરીએ તો માતાજીને આઠ ભુજાઓ છે. પોતાના હાથમાં માતાજી વિવિધ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરે છે.. માતા કુષ્માંડાએ પોતાના હાથમાં કમળ, ગદા, કમંડળ, ધનુષ, બાણ, ચક્ર, તેમજ અમૃત કળશ ધારણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સમસ્ત જગ્યા પર અંધકાર છવાઈ ગયો હતો ત્યારે માતા કુષ્માંડાએ પોતાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પતિ કરી હતી. 


કયા મંત્રનો કરવો જોઈએ જાપ? 

નવરાત્રી દરમિયાન માતાજીના મંત્રોનું જો પાઠ કરવામાં આવે તો તેની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે. નવરાત્રી દરમિયાન કરવામાં આવતા પાઠનું ફળ અનેક ઘણું મળતું હોય છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને જો આ શક્ય નથી તો માતા કુષ્માંડાને સમર્પિત મંત્રનો જાપ કરવો જોઈએ... આ મંત્રથી કરવી જોઈએ માતા કુષ્માંડની આરાધના - 


सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च |

हस्तापद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे||


અર્થાત - જે માતાએ પોતાના હાથમાં અમૃત કળશ ધારણ કરેલો છે તે માતાને અમે નમન કરીએ છીએ, માતા કુષ્માંડાની આરાધના કરવાથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે ઉપરાંત મુશ્કેલીઓનો પણ અંત આવે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ચોથા દિવસે માલપુઆનો ભોગ માતાજીને અર્પણ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માતાજીને પીળા રંગના પુષ્પ વધારે પ્રિય છે.. ત્યારે માતાજીની કૃપા તમામ પર વરસતી રહે તેવી આશા...



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.