નવરાત્રીના છઠ્ઠા દિવસે થાય છે માતા કાત્યાયનીની પૂજા, જાણો તેમની પૂજા કરવાથી કયા ફળની થાય છે પ્રાપ્તિ


  • Published By :
  • Published Date : 2023-03-27 10:26:32

હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવ દુર્ગાની પૂજા કરી માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે ત્યારે આજે નવરાત્રીનું છઠ્ઠું નોરતું છે. છઠ્ઠા દિવસે માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. માતાજીનું છઠ્ઠું સ્વરુપ છે મા કાત્યાયની. એવી માન્યતા છે કે મા કાત્યાયની પૂજા કરવાથી સાધકને ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો માતાજીના સ્વરૂપની વાત કરવામાં આવે તો માતા કાત્યાયનીને ચાર ભૂજાઓ છે. એક હાથમાં કમળ ધારણ કરેલું છે. એક હસ્તમાં તેમણે તલવાર ધારણ કરી છે.  એક હાથમાં વરદ મુદ્રા ધારણ કરી છે અને એક હાથથી ભક્તોને આશીષ આપી રહ્યા છે. માતા કાત્યાયનીનું વાહન સિંહ છે. તેમની આરાધના કરવાથી જીવનના તમામ કષ્ટો દુર થઈ જાય છે અને ભક્તને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

શા માટે માતા કાત્યાયનીના નામે ઓળખાયા 

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે મહર્ષિ કાત્યાયને માતાજીને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું હતું. તપથી માતા ખૂબ પ્રસન્ન થયા અને તેમના ત્યાં પૂત્રી સ્વરુપે અવતર્યા હતા. જેથી તેઓ કાત્યાયની કહેવાયા. તે ઉપરાંત ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ માતાજીની ઉપાસના કરી હતી. વ્રજની ગોપીઓએ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા કાત્યાયની માતાનું વ્રત કર્યું હતું. 

Katyayani: Born out of anger of Gods, the sixth avatar of Maa Durga killed  the demon Mahishasur

ઉપરાંત માતાએ આ જ સ્વરૂપમાં દૈત્ય મહિષાસુરનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરી દેવોને તેના ત્રાસથી મુક્તિ અપાઈ હતી. જેથી કોઈ પણ ભક્ત માતાજીની સાચા મનથી ભક્તિ કરે છે તેને ઈચ્છિત ફળ માતાજી અવશ્ય આપે છે.  નવરાત્રી દરમિયાન માતાજી સમક્ષ વિવિધ ભોગ પ્રસાદી તરીકે રાખવામાં આવે છે. દિવસ પ્રમાણે અલગ અલગ ભોગ માતાજીને અર્પણ કરવામાં આવે છે. ત્યારે છઠ્ઠા નોરતે માતાજીને મધનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.   


ક્યાં મંત્રનું ઉચ્ચારણ કરવાથી મળશે માતાના આશીર્વાદ 

માતા કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે નીચે દર્શાવેલા મંત્રનો જાપ કરવો જોઈએ. 

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना

कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी  

એવું કહેવાય છે 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે