સુરતમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં સતત ઉછાળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 19:05:40

ચોમાસાની વિદાય નજીક આવી રહી છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં મેલેરિયા, ડેન્ગ્યુના કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારી દીધી છે. કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે તેમજ ફોગિંગની કામગીરી પણ ચાલી રહી છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય કેસમાં વધારો

મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના કેસમાં સતત ઉછાડો થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવ બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ભારે ઉછાડો જોવા મળ્યો છે. સુરત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રતિદિન 50 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 27, મેલેરિયાના 155 જેટલા કેસ સામે આવ્યા છે.

કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગે કેસને નિયંત્રિત કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. હેલ્થ વર્કરો દ્વારા દરેક ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત દવાનો છંટકાવ અને ફોગિંગની કામગીરી પણ થઈ રહી છે. મેલેરિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.  



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.