ડીસાના ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 18 લોકોના મોત, મધ્યપ્રદેશથી આવ્યા હતા શ્રમિકો


  • Published By : Admin
  • Published Date : 2025-04-01 15:25:49

રાજ્યમાં જ્યારે પણ આગની ઘટનાઓ બને ત્યારે સવાલ થાય કે આગ લાગી એ ફેક્ટરી કે જગ્યા કાયદેસર હતી. એની પાસે ડોક્યુમેન્ટ હતા કે કેમ પણ સવાલો પછી જવાબો મળતા નથી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી અને અનેક લોકો એ આગમાં ભડથુ થઈ ગયા. ફરી એકવાર બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું. 

બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક ધડાકો થયો અને ભીષણ આગ ફાટી નીકળી. આ ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. ત્યારે અત્યાર સુધી 18 મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે આગની ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો મધ્યપ્રદેશના રહેવાસી છે. મજુરી કામ માટે ગુજરાત આવ્યા હતા. ફટકડા બનાવવાનું કામ કરતા હતા એમને ક્યાં ખબર હતી કે અહીંયા જિંદગી આસાન કરવા નહીં પણ જિંદગીને હોમવા આવી રહ્યાં છે. ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો અને મૃત્યુ થયું. હાલ તો મૃતકોની ઓળખ કાર્યવાહી ચાલી રહી છે. 

જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ફટકડા બનાવવાની કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને બાજુમાં આવેલુ ગોડાઉન ધરાશાયી થઈ ગયું. ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દુર સુધી કાટમાળ ફેલાયેલો હતો. અને મજુરોના માનવ અંગો પણ દુર સુધી ફેંકાયા હતા. 

દીપક ટ્રેડર્સ  નામની જે કંપનીમાં આ દુર્ઘટના બની તે કંપની ખુબચંદ સિંધી નામના વ્યક્તિની છે. જે ફટાકડાનો હોલસેલનો વેપારી છે. અત્યાર સુધી એ પોતે તમિલનાડુના શિવકાશીની ફટાકડાની ફેક્ટરીઓમાંથી ફટાકડા લાવતો હતો અને અહીંયા વેચાણ કરતો હતો. હવે પોતે ડીસામાં ફટાકડા બનાવવાનું શરુ કર્યું. અને કંપનીના માલિકે માત્ર ફટાકડા વેંચવાની મંજૂરી જ મેળવી હતી. તેની પાસે ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની મંજૂરી હતી જ નહીં. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી પ્રશાસન હાલ તો તપાસ કરી રહ્યું છે.



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.