રાજકોટની મારવાડી યુનિવર્સિટી આવી ચર્ચામાં! યુનિવર્સિટી કેમ્પસમાં ગાંજાનું વાવેતર થતા હોવાની વાત આવી સામે!


  • Published By :
  • Published Date : 2023-04-14 10:21:36

રાજ્યમાંથી ઘણા સમયથી એવા સમાચારો સામે આવી રહ્યા છે જેને લઈ અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. અનેક વખત યુનિવર્સિટીઓથી એવા સમાચારો સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. ત્યારે રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગાંજાનો છોડ બોયઝ હોસ્ટેલની બાજુમાંથી મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તપાસની શરૂઆત કરી હતી. ત્રણ સ્થળેથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. 

Marijuana recovered from Marwadi University in Rajkot Rajkot: રાજકોટની આ પ્રખ્યાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ, મીડિયાને જોતા જ લગાવી આગ

યુનિવર્સિટી કેમ્પસમાં મળી આવ્યા ગાંજાના છોડ!

અનેક વખત રાજ્યમાંથી માદક પદાર્થો મળી આવતા હોય છે. માદક પદાર્થ મળી આવતા પોલીસ એક્શનમાં આવી જતી હોય છે. આ વખતે માદક પદાર્થનો છોડ શૈક્ષણિક સંસ્થામાં મળી આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર થતું હોય તેવી વાતો વહેતી થઈ છે. આવા સમાચાર વહેતા થતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 


ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી! 

મળતી માહિતી અનુસાર કેમ્પસમાં આવેલા કેટલાક છોડ મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેમ્પસને અડીને આવેલા અન્યની માલિકીના ખેતરમાં આગ લાગેલી મળી હતી.જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. ત્યારે શું યુનિવર્સિટીમાં સાચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે શા માટે છોડને જળમૂળથી નષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સેમ્પલો મોકલી આપવામાં આવ્યા છે. આ વાતની જાણ થતાં કુવાડવા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારી દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે હકીકત શું છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.