માર્ક ઝકરબર્ગે મેનેજરોને કહ્યું, છટણી માટે તૈયાર રહો, 10 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે


  • Published By :
  • Published Date : 2023-04-19 17:43:39

દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, જેના કારણે વિશ્વની ટોચની મલ્ટીનેશનલ કંપનીઓ તેમનો વર્ક ફોર્સ ઘટાડી રહી છે. જેમ કે જાણીતી સોશિયલ મીડિયા નેટવર્કીંગ કંપની ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર તેના કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. કંપની લગભગ 10 હજાર કર્મચારીઓની છટણી કરશે. 


માર્ક ઝકરબર્ગે માર્ચમાં કરી હતી જાહેરાત


Metaના CEO માર્ક ઝકરબર્ગે માર્ચ 2023માં 10 હજાર લોકોની છટણીની જાહેરાત કરી હતી. હવે કંપની એ જ પગલે આગળ વધી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને રિયાલિટી લેબમાં કામ કરતા કર્મચારીઓને છટણીનો સામનો કરવો પડશે. એક અનુમાન છે કે આ છટણીમાં આ 10,000 લોકો તેમની નોકરી ગુમાવશે. મેટાએ પહેલાથી જ 11,000 લોકોની નોકરી સમાપ્ત કરી દીધી છે.


મેટા મેનેજમેન્ટે મેનેજરોને કર્યો આદેશ


અત્રે ઉલ્લેખનિય છે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મેટાની માલિકીની પેટા કંપનીઓ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ બુધવારે કંપનીએ મેનેજરોને જોબ કટ મેમો તૈયાર કરવા કહ્યું છે. આ ત્રણ સોશિયલ મીડિયા કંપનીઓ ઉપરાંત, રિયાલિટી લેબનો પણ સમાવેશ કરી શકાય છે જે વર્ચ્યુઅલ રિયાલિટી પર આધારિત એક ડિપાર્ટમેન્ટ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે