મહારાષ્ટ્રમાં ફરી ભડકી મરાઠા અનામત આંદોલનની આગ, ટોળાએ NCP અજિત પવાર જૂથના MLAના ઘરને આગ ચાપી


  • Published By :
  • Published Date : 2023-10-30 15:30:54

મહારાષ્ટ્રમાં ફરીથી મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું છે, આ વર્ષે ઓગસ્ટથી શરૂ થેયેલી મરાઠા આરક્ષણની માગ મહારાષ્ટ્રમાં હિંસક બની છે. મરાઠા અનામતની માગ કરી રહેલા લોકોએ સોમવારે બિડ જિલ્લામાં માજલગાંવમાં એનસીપી અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ઓફિસ પર પથ્થરમારો કર્યા બાદ આગ ચાંપી હતી. સેંકડો પ્રદર્શનકારીઓએ અહીં ડઝનેક બાઇક અને કારને પણ આગ લગાવી દીધી હતી. હાલ ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે.


MLA પ્રકાશ સોલંકેએ શું કહ્યું?


ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે બપોરે દેખાવકારોએ મારા ઘરમાં આગ લગાવી હતી, જ્યારે પથ્થરમારો અને આંગ ચાંપી તે સમયે હું  મારા ઘરમાં પરિવારજનો સાથે જ હાજર હતો. જો કે મારા પરિવારજનો અને સુરક્ષાકર્મીઓને કોઈ નુકસાન થયું નથી. તમામ લોકો સુરક્ષિત છે. વિરોધ પ્રદર્શકોએ મારી ઓફિસ અને ગાડીઓેને પણ છોડી નથી. તેને પણ આગને હવાલે કરી હતી. મારી પ્રોપર્ટીને જબરદસ્ત નુકસાન થયું છે. 


શા માટે પ્રકાશ સોલંકેને નિશાન બનાવ્યા?


પ્રકાશ સોલંકે અજિત પવાર જુથના ધારાસભ્ય છે, તેઓ બીડની માંજલગાવ વિધાનસભા સીટથી એનસીપીની ટિકિટ પર ચૂંટાયા હતા. સોલંકેની તાજેતરમાં જ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં તે મરાઠા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેને લઈને ટિપ્પણી કરતા સાંભળવા મળે છે.  આ જ કારણે આદોલનકારીઓએ ધારાસભ્ય પ્રકાશ સોલંકેથી નારાજ હતા અને તેમણે ઘર અને ઓફિસને નિશાન બનાવી હતી. ઉલ્લેખનિય છે કે મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે જાલનાના અંતરૌલીમાં 6 દિવસથી ભૂખ હડતાળ પર છે. શિંદેએ પણ મનોજ જરાંગેને અપીલ છે કે "અમને થોડો સમય આપો, સરકાર તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે, તેમને દવા અને પાણી લેવા અપીલ છે."


શિવસેના સાંસદે આપ્યું રાજીનામું


મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગણી સાથે રવિવારે (29 ઓક્ટોબર) અન્ય એક યુવકે આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ બીડ જિલ્લાના પરલી તાલુકાના રહેવાસી ગંગાભીષણ રામરાવ તરીકે થઈ છે. રાજ્યમાં 11 દિવસમાં 13 લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી રાજીનામું લોકસભાના અધ્યક્ષ સુધી પહોંચ્યું નથી, પરંતુ રાજીનામું પત્ર વાયરલ થઈ રહ્યું છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.