મરાઠા અનામત: મનોજ જરાંગે શરૂ કરી ભૂખ હડતાળ, કહ્યું- માંગ નહીં સંતોષાય તો કાલે મુંબઈ સુધી માર્ચ કરશે


  • Published By :
  • Published Date : 2024-01-26 22:24:21

મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ સાથે પગપાળા કૂચ કરી રહેલા મનોજ જરાંગે પાટીલ શુક્રવારે મુંબઈ તરફ નહીં જાય. હાલ તેઓ નવી મુંબઈમાં જ રહેશે. જરાંગે મહારાષ્ટ્ર સરકારને આજે રાત સુધીમાં મરાઠા આરક્ષણ અંગે સરકારી ઠરાવ (GR) જારી કરવા જણાવ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા GR જારી કરવામાં નહીં આવે તો મરાઠાઓ આવતીકાલે શનિવારે સવારે મુંબઈ તરફ કૂચ કરશે. જરાંગે આજે સવારે 11 વાગ્યાથી નવી મુંબઈમાં ઉપવાસ શરૂ કર્યા છે.


કાલે મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન 


મનોજ જરાંગ પાટીલે મરાઠા સમુદાયના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે ચોક્કસ થોડા કલાકોમાં અમે આઝાદ મેદાન જવાના છીએ. અમને શિક્ષણમાં અનામત જોઈએ છે, તે 100% હોવી જોઈએ. અમે આજે મુંબઈ નહીં આવીએ, અમે અહીં વાશીમાં રાહ જોઈશું. સરકારે આવતીકાલ સુધીમાં નિર્ણય લેવો પડશે. સરકાર આજે સાંજ સુધીમાં શિક્ષણ અંગે નિર્ણય કરે. અમે અમારા સંઘર્ષને કારણે કોઈ મુંબઈકરને મુશ્કેલીમાં મૂકવા માંગતા નથી. ઉલ્લેખનિય છે કે મનોજ જરાંગે 20 જાન્યુઆરીએ  અનામતની માંગ સાથે પોતાના હજારો સમર્થકો સાથે જાલનાથી નીકળ્યા હતા. તેમની કૂચ 26 જાન્યુઆરીએ વાશી પહોંચી હતી. અહીં તેમણે પોતાની માંગણીઓ માટે ફરી ભૂખ હડતાળ શરૂ કરી છે. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મરાઠા લોકો એકઠા થવાની આશા છે. જો કે, તેમને આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કરવાની પ્રશાસન તરફથી પરવાનગી મળી નથી. તેમણે બુધવારે કહ્યું હતું કે તેઓ અનામત માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે અને આરક્ષણ વિના અહીંથી પાછા નહીં જાય.


શું છે મનોજ જરાંગેની માંગ?


મનોજ જરાંગેની માંગ છે કે મરાઠા સમાજના લોકો OBC હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


મનોજ જરાંગેની પહેલી માંગ છે કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.


અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ.


જરાંગે એ પણ માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજિક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરું પાડે અને ઘણી ટીમો બનાવે.


મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કની સામે જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. અમેરિકાના બધા જ ૫૦ રાજ્યોમાં તેમનો વિરોધ થયો છે. હવે ઈલોન મસ્કે ટેરિફને લઇને પોતાના સુર બદલ્યા છે. તો આ તરફ ચાઈનાએ કાઉંટર ટેરિફ અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ પર લગાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકાનું સૌથી ઉચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.

વાત કરીએ વિશ્વની તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટના કારણે ત્યાં મહામંદી આવવાના એંધાણ છે. કેમ કે આજથી ૯૫ વર્ષ પેહલા અમેરિકામાં ટેરિફ લગાવવા પર ત્યાં ભયંકર મંદી આવી હતી. કેરેબિયન સમુદ્રનો એક દેશ જેનું નામ છે , હૈતી કે જ્યાં દેખાવકારોએ ત્યાં ગેંગસ્ટરોની સામે જોરદાર દેખાવો કર્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીમસ્ટેકની સમિટમાં ભાગ લેવા થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પહોંચ્યા છે . ઉપરાંત વાત કરીએ ઓસ્ટ્રેલિયાની તો ત્યાંના પીએમ એન્થની આલ્બાનીઝ ચૂંટણી પ્રચાર દરમ્યાન પડી ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો છે હવે તેની સામે વિશ્વના દેશોએ અલગ અલગ તૈયારી કરી છે જેમ કે ચાઇના આ ટેરિફને લઇને કાઉન્ટર ટેરિફ અમેરિકા પર લગાવશે જયારે ઓસ્ટ્રેલિયા ટ્રમ્પ સાથે ચર્ચા કરશે .

હવે અમેરિકા આ બધા જ દેશ પર કેટલો ટેરિફ લગાડવા જઈ રહ્યું છે તે પણ જણાવ્યું હતું. ભારત,અમેરિકન વસ્તુઓ ઉપર ૫૨% ટેરિફ લગાડે છે,જયારે હવે અમેરિકા ડીસ્કાઉન્ટ સાથે હવેથી ભારતની અમેરિકામાં થતી નિકાસો ૨૬% ટેરિફ વસુલશે.વ્હાઇટ હાઉસ દ્વારા આ ટેરિફ અમલીકરણ એપ્રિલની ૫મી તારીખથી શરુ થશે.અમેરિકાએ આ તમામ દેશ ઉપર ૧૦% ફ્લેટ ટેરિફ લગાડ્યો છે. આ ટેરીફનો અમલ એપ્રિલની ૯મી તારીખથી શરુ થશે.ભારત માટે શરૂઆતમાં ૫મી એપ્રિલથી ૧૦ ટકા ટેરિફ લાગશે અને પછી એપ્રિલની ૯મી તારીખથી બીજો ૧૬ ટકા ટેરિફ ઉમેરાશે. આમ ભારત ઉપર ટોટલ ૨૬ ટકા ટેરીફનું અમલીકરણ શરુ થઈ જશે.