વરસાદના તાંડવ વચ્ચે જૂનાગઢમાં સર્જાઈ દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં અંદર ફસાયા અનેક લોકો, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-24 15:42:36

રાજ્યમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માટે વરસાદ આફત લઈને આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાની સિઝનમાં અનેક વખત જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની, દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢથી પણ મકાન ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બિલ્ડીંગ પડી જતા અનેક લોકો અંદર ફસાઈ ગયા છે. ભારે ભીડ વાળા વિસ્તારમાં આવી ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. હાલ તો કાટમાળને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ કાટમાળમાં કેટલા લોકો ફસાયા છે તે અંગેની જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં બિલ્ડીંગની કાટમાળ નીચે ચારથી પાંચ લોકો ઘટાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 

  

કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

તંત્રની સાથે સાથે સ્થાનિકો પણ રાહત કામગીરીમાં જોડાયા

JCB સહિતના સાધનો વડે બચાવ કામગીરી હાથ ધરાય


કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવાની ચાલી રહ્યો છે પ્રયાસ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢથી વરસાદના અનેક વીડિયો સામે આવ્યા હતા જે ડરાવી દે તેવા છે. પાણીનું વહેણ એટલું બધું હતું કે જો કોઈ તણાઈ ગયું હોય તો તેનું બચવું અસંભવ માનવામાં આવે છે. પરંતુ પોલીસ તેમજ બચાવની ટીમ દ્વારા લોકોનું દિલધડક રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. હમણા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેકશનનું કામ ચાલુ હતું ત્યારે પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું, પછી ફરી વરસાદ પડ્યો ત્યારે પણ એવું થયું હમણા પરમ દીવસે તો ખબર નહીં કુદરતે શું કોપ વરસાવ્યો કે લોકોના ઘર કાદવ કિચડથી લિંપી દીધા, અનેક ગાડીઓ તણાઈ, પશુઓ પણ તણાયા, માણસો પણ તણાયા અને હજુ પણ લોકોના ઘરોમાં પૂરવાળી ગંદગી ભરાયેલી જ છે. જૂનાગઢના કડિયાવાસ વિસ્તારમાં આવેલું એક જૂનવાણી બિલ્ડિંગ ધરાશાયી થયું છે. બિલ્ડિંગ પડવાની સાથે જ લોકો ત્યાં પહોંચી ગયા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આશંકા છે કે અનેક લોકો દટાયા હોઈ શકે છે. દાતાર રોડ પર બે માળની જર્જરિત બિલ્ડિંગ ધરાશાઈ થઈ છે તો તેમાં બચાવકામગીરી કરવા માટે 108ની ટીમ પણ આવી ગઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.