બેવડી ઋતુમાં બીમાર પડતા અનેક લોકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:23:02

હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમીનો અનુભવ થાય છે તો રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. ડબલ ઋતુને કારણે વાઈરલ કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટને કારણેે દિવસ અને રાતના તાપમાનમાં 4થી 6 ડિગ્રીનો અંતર જોવા મળે છે. જેને કારણે તાવ અને શર્દીના દર્દીઓ પણ જોવા મળે છે. વાઈરલની સાથે સાથે મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડના દર્દીમાં વધારો થયો છે.

ભાદરવામાં વધતી દર્દીઓની સંખ્યા

બેવડી ઋતુને કારણે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે તો પછી બપોરના સમયે પંખા નીચે બેસવાની જરૂરત ઉભી થાય છે. ડબલ ઋતુને કારણે અનેક લોકો બીમારીનો શિકાર થઈ રહ્યા છે. તાવ અને શર્દી ઉધરસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. પરિવારમાં એક વ્યક્તિને જો વાઈરલ થાય તો પરિવારના બધા સભ્યો ધીમે ધીમે તેની જપેટમાં આવી જતા હોય છે.   

The Common Cold: Symptoms, Prevention & Treatment | Ausmed

ભાદરવા મહિનામાં અનેક લોકો બીમાર પડતા હોય છે. એક તરફ વરસાદને કારણે તો બીજી તરફ ગરમી તેમજ ઠંડીને કારણે લોકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. અનિયમિત વાતાવરણને કારણે તાવ અને શર્દીના કેસમાં વધારો થયો છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છેતો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવ થાય છે. કોઈક વખત વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવે છે. અનેક લોકો વાઈરલથી પ્રભાવિત થઈ રહ્યા છે. ઘેર ઘેર વાઈરલ બીમારીઓ ઘર કરી રહી છે. 150 દર્દીઓ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. વાઈરલથી સુરક્ષિત રહેવા ડોક્ટરો માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.