બેવડી ઋતુમાં બીમાર પડતા અનેક લોકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:23:02

હાલ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમીનો અનુભવ થાય છે તો રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. ડબલ ઋતુને કારણે વાઈરલ કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલી વધઘટને કારણેે દિવસ અને રાતના તાપમાનમાં 4થી 6 ડિગ્રીનો અંતર જોવા મળે છે. જેને કારણે તાવ અને શર્દીના દર્દીઓ પણ જોવા મળે છે. વાઈરલની સાથે સાથે મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડના દર્દીમાં વધારો થયો છે.

ભાદરવામાં વધતી દર્દીઓની સંખ્યા

બેવડી ઋતુને કારણે સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે તો પછી બપોરના સમયે પંખા નીચે બેસવાની જરૂરત ઉભી થાય છે. ડબલ ઋતુને કારણે અનેક લોકો બીમારીનો શિકાર થઈ રહ્યા છે. તાવ અને શર્દી ઉધરસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. પરિવારમાં એક વ્યક્તિને જો વાઈરલ થાય તો પરિવારના બધા સભ્યો ધીમે ધીમે તેની જપેટમાં આવી જતા હોય છે.   

The Common Cold: Symptoms, Prevention & Treatment | Ausmed

ભાદરવા મહિનામાં અનેક લોકો બીમાર પડતા હોય છે. એક તરફ વરસાદને કારણે તો બીજી તરફ ગરમી તેમજ ઠંડીને કારણે લોકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. અનિયમિત વાતાવરણને કારણે તાવ અને શર્દીના કેસમાં વધારો થયો છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છેતો રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવ થાય છે. કોઈક વખત વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવે છે. અનેક લોકો વાઈરલથી પ્રભાવિત થઈ રહ્યા છે. ઘેર ઘેર વાઈરલ બીમારીઓ ઘર કરી રહી છે. 150 દર્દીઓ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. વાઈરલથી સુરક્ષિત રહેવા ડોક્ટરો માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.