તમિલનાડુમાં થયેલા અકસ્માતમાં અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-03 14:46:16

તમિલનાડુમાં અકસ્માત બન્યો છે. કુડ્ડાલોર જિલ્લામાં આ દુર્ઘટના બની છે જેમાં પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર છ વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. બે બસ, બે લોરી અને બે ગાડી વચ્ચે આ અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

  

6 ગાડીઓ એકસાથે ભટકાતા થયો અકસ્માત 

દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ અકસ્માતને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. તો અનેક લોકો અકસ્માતને કારણે ઈજાઓ પહોચતી હોય છે. ત્યારે ગમખવાર અકસ્માત તમિલનાડુમાં બન્યો છે. ભયાનક અકસ્માતમાં 6 વાહનો એક સાથે ભટકાયા હતા. ત્રિચી ચેન્નઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ અકસ્માત બન્યો છે. એક સાથે છો વાહનો ભટકાતા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.

 

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી 

અધિકારીઓના જણાવ્યા અનુસાર બધા મૃતકો એક જ પરિવારના છે. મૃત્યુ પામનાર લોકો એક જ કારમાં સવાર હતા. પોલીસે કહ્યું કે કારમાં મળી આવેલા સામાનને જોઈને ખબર પડી કે  તેઓ ચેન્નઈના નંગનલ્લૂરના રહેવાસી છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.