વિશ્વના આ દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ધરતીકંપને કારણે થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 09:36:21

મંગળવાર રાત્રે વિશ્વના અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં ધરતીકંપના તીવ્ર ભૂકંપનો અનુભવ થયો હતો. તે સિવાય પાકિસ્તાન, ચીનમાં તેમજ ભારતના અનેક રાજ્યોની ધરા પણ ભૂકંપને કારણે ધ્રુજી હતી. મળતી માહિતી અનુસાર ભૂકંપના આંચકાને કારણે પાકિસ્તાનમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે.

 

પાકિસ્તાનમાં થયા અનેક લોકોના મોત 

મંગળવાર રાત્રે લગભગ 10.15 વાગ્યાની આસપાસ વિશ્વના અનેક દેશોમાં તીવ્ર ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફાયજાબાદથી 133 કિમી દક્ષિણ પૂર્વમાં જમીનની 156 કિમી અંદર નોંધાયું હતું. પાકિસ્તાનના ઈસ્લામાબાદ સહિત ભારતના અનેક રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના ફાયજાબાદમાં સૌથી વધુ ભૂકંપની તીવ્રતા નોંધાઈ હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ છે. પાકિસ્તાનના પેશાવર, કોહાટ, સ્વાબી,લાહોર, રાવલપિંડી સહિત અનેક વિસ્તારોમાં પણ ધરા ધ્રુજૂ હતી. 


ભારતના અનેક રાજ્યોની પણ ધરા ધ્રુજી 

તે સિવાય ભારતના પણ અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર રાત્રે લગભગ 10.19 મિનિટ આસપાસ દિલ્હીમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. તે સિવાય અનેક મીડિયા રિપોર્ટના આધારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. ભૂકંપને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. એવી માહિતી પણ સામે આવી હતી કે ધરતીકંપને કારણે દિલ્હીમાં એક બિલ્ડિંગ નમી પડી છે.    



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.