કર્ણાટકના અત્યારના પરિણામ અંગે અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા! જાણો કમલનાથને શેનો સતાવી રહ્યો છે ડર, તો ભાજપ માટે સંજય રાઉતે કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-13 12:42:13

કર્ણાટકમાં હાલ મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે. કોંગ્રેસ કરતા ભાજપને ઓછી સીટ હાલ મળતી દેખાઈ રહી છે. ભાજપને ઓછી સીટ મળતા અનેક નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલના પરિણામ જોતા શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથે પડી છે. તે સિવાય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.

       


ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરશે! 

ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવતી હોય છે. અનેક વખત એવું પણ થાય છે કે પરિણામ કોઈ પાર્ટીના તરફેણમાં આવતા હોય છે પરંતુ સરકાર ગઠબંધન કરી સરકાર કોઈ બીજી પાર્ટી બનાવતી હોય. અનેક વખત એવું પણ થયું છે કે ધારાસભ્યો બીજી પાર્ટીમાં જતા રહેતા હોય છે જેને કારણે સરકાર પડી જતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સરકાર તૂટી પડી છે અને ભાજપ દ્વારા સરકાર બનાવામાં આવતી હોય છે. ત્યારે આ અંગેની ચિંતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે  કોંગ્રેસ નિશ્ચિત રૂપથી સરકાર બનાવી રહી છે પરંતુ ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરશે. શરુઆત મધ્યપ્રદેશથી થઈ હતી.            

સંજય રાઉતે મનીષ સિસોદિયાને આપ્યું સમર્થન, કહ્યું ભાજપમાં શું હિમાલયના સંતો  બેઠા છે

સંજય રાઉતે આપી પ્રતિક્રિયા!

કમલનાથ સિવાય સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બજરંગબલીની ગદા ભાજપના માથા પર પડી છે. કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે જ્યારે મોદી અને અમિત શાહની હાર થઈ રહી છે.જયારે લાગ્યું કે તે લોકો હારી રહ્યા છે તો તેમણે હનુમાનજીને આગળ કરી દીધા.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.