આંદોલનની આંધી વચ્ચે શનિવારે સરકારનો શનિ ભારે રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:47:59



ગુજરાતનો ઈતિહાસ સાક્ષી છે કે ચૂંટણીઓ આવવાની સાથે જ લોકો શાસનમાં બેઠેલી સરકારને ઘેરવાનું ચાલુ કરી દે છે. આજ શનિવાર છે અને ભૂપેન્દ્ર પટેલ સરકારના માથે શનિ મંડરાઈ રહ્યો છે. ગાંધીનગરમાં અનેક લોકોએ આંદોલનની આંધી ચલાવી છે. અનેક સરકારી અને બિન સરકારી લોકો પોતાની માગણી સાથે ગાંધીનગર પહોંચી ગયા છે. સત્યાગ્રહ છાવણી હોય કે વિધાનસભા ગૃહ તમામ જગ્યાઓ પર આજે મહત્વની ઘટનાઓ ઘટવાની છે. તમામ લોકોની માગણી સ્વિકારવા માટે ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે જે પોતાની વોટબેંકની તાકાતના આધારે લોકોને સાંભળવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. 


કેટલા લોકો-સંઘો મેદાને? 

લોકોની દબાયેલી માગો ચૂંટણી પહેલા અચાનક ઉછળતા રોષનો મારો ગુજરાત સરકાર સામે ચલાવાયો છે. વિદ્યાર્થીઓની માગણી તો સ્વિકારાય પરંતુ હાલ ખેડૂતો, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો, આંગણવાડીની બહેનો એસટી કર્મચારીઓ, શિક્ષક સંઘો, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પંચાયત હસ્તકના કર્મચારીઓ, માજી સૈનિકો સહિતના અનેક ગ્રુપ પોતાની માગણી સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. ખુદ ભાજપની ભગીની સંસ્થા કિસાન મહાસંઘ પણ આંદોલન કરી પોતાના હકો માગી રહી છે. 


ગાંધીનગર સચિવાલય પર સુરક્ષાનો કાફલો 

તમામ વર્ગના લોકો વિરોધ નોંધાવવાના કારણે ગુજરાત સરકારે પોલીસ સહિત એપિડ એક્શન ફોર્સ(RAF)ની ટુકડી વિધાનસભા ગેટ પર ખડકી દીધી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે મંત્રીઓના નિવાસસ્થાનો પર પણ પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર ગાંધીનગરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.  


સરકાર ભરાતા માગો સ્વીકારાઈ

ગુજરાત સરકારના પાંચ મંત્રીઓની સમિતિ સામે આજે પણ ઘણા પડકાર છે અને ચૂંટણી પહેલાના સમયમાં તો અનેક સમસ્યાઓનો ધોધ વહેતો જ રહેશે. સરકારે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની અમુક માગ સ્વીકારી પરંતુ આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલુ રાખી છે, આંગણવાડી બહેનોની માગ પણ સરકારે સ્વિકારી છે,  


     



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.