વિધાનસભામાં પોતાના સમાજને ટિકિટ મળે તે માટે અનેક સમાજોએ ભરી હુંકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:06:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ટિકિટ માટે અનેક સમાજના લોકો મેદાનમાં આવી રહ્યા છે. એક બાદ એક સમાજોની બેઠક યોજાઈ રહી છે. જુદા જુદા સમાજો ટિકિટની માગણી કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં જૈન સમાજ પણ ટિકિટની માગ કરતા નજરે પડ્યું હતું. જા અગાઉ અરવલ્લીમાં કરણી સેનાએ પણ ટિકિટની માગ કરી હતી. 

જૈન સમાજે કરી ટિકિટની માગ

પોતાના સમાજનો દબદબો રહે તે માટે અનેક સમાજ ચૂંટણીમાં ટિકિટની માગ કરતા હોય છે. પાટીદાર સમાજ, કોળી સમાજ અને માલધારી સમાજ ટિકિટની માગ કરતા નજરે પડ્યા હતા ત્યારે હવે જૈન સમાજ પણ ટિકિટની માગને લઈ મેદાનમાં ઉતર્યા છે. જામનગર ખાતે જૈન સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં જૈન સમાજના અગ્રણી તેમજ મેયર બીનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. 


કોળી સમાજ અને પટેલ સમાજે પણ કરી છે ટિકિટની માગ 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા એક બાદ એક સમાજ મહાસંમેલનનું આયોજન કરી રહી છે. મહાસંમેલન કરી સરકારને ઘેરવા પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ટિકિટની માગ પણ કરવામાં આવે છે. ત્યારે જામનગર ખાતે જૈન સમાજની બેઠક યોજાઈ હતી જેમાં જામનગરની વિધાનસભાની ટિકિટમાં જૈન સમાજને સ્થાન મળે તેવી વાત કરવામાં આવી હતી. ઉપરાંત થોડા દિવસો પહેલા જ કરણી સેનાએ મહાસંમેલન કર્યું હતું. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે 55થી 60 ટિકિટોની માગ કરી હતી. ઉપરાંત પાટીદાર સમાજને 50 જેટલી ટિકિટ આપવામાં આવે ઉપરાંત કોળી સમાજને 72 ટિકિટની ફાળવણી કરવાની માગ કરી હતી. અનેક સમાજ ટિકિટની માગણી કરી રહ્યા છે જેને કારણે રાજકીય પાર્ટીઓનું ગણિત ખોઈ શકે છે. 



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.