Gujaratના અનેક બ્રિજ જર્જરિત હાલતમાં! Arjun Modhwadiaએ વીડિયો શેર કર્યો અને ભાજપને પૂછ્યો આ સવાલ!


  • Published By :
  • Published Date : 2023-11-07 09:51:49

ગઈકાલે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં પુલ પર બનેલી રેલિંગને તોડી બસ રેલવે ટ્રેક પર આવી ગઈ હતી. સદનસીબે ટ્રેક પર જ્યારે બસ પડી ત્યારે કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં ચાર જેટલા લોકોના મોત થયા હતા ત્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે આવી દુર્ઘટના ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે કારણ કે અનેક પુલ એવા છે જે રેલવે ટ્રેક પર બનાવવામાં આવ્યા હોય અથવા તો નદી પર બનાવવામાં આવ્યા હોય. અનેક બ્રિજની દશા એવી ખરાબ છે કે ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે. 

Dilapidated bridge over Vadhawan Vastadi Bhogavo river | વઢવાણ વસ્તડી  ભોગાવો નદી પરનો પુલ જર્જરિત - Divya Bhaskar

The old dilapidated bridge over the Khari River in Mehsana will be  demolished and a new one will be constructed | મહેસાણામાં ખારી નદી પર જૂનો  જર્જરિત પુલ તોડી નવો બનાવાશે -

અનેક બ્રિજો-પુલો એવા છે જ્યાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે! 

ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે જેમાં લોકોના મોત થયા છે. એવી ઘટનાઓ બની છે જેમાં લોકોને પોતાની જીંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો હોય. મોરબી દુર્ઘટના સર્જાઈ હતી તે બાદ સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા. જર્જરિત બિલ્ડિંગો, પુલ સહિતની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું, લોકો ભૂલી ગયા એ ઘટનાને અને સરકાર પણ ભૂલી ગઈ એ વખતે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને! અનેક કાર્યરત બ્રિજો એવા છે જેની દશા જોઈને આપણને દયા આવે! એવી જર્જરિત હાલતમાં બ્રિજો જોવા મળે છે કે ગમે ત્યારે તેની સાથે દુર્ઘટના સર્જાઈ શકે છે અને લોકોના જીવ જઈ શકે છે. 


એક પુલનો વીડિયો અર્જુન મોઢવાડિયાએ શેર કર્યો અને પૂછ્યો પ્રશ્ન 

ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ એક જર્જરિત પુલનો વીડિયો શેર કર્યો છે અને ભાજપની સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે શું પુલ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ભાજપ સરકાર? અમરેલી-રાજકોટ હાઈવે પર નાના માચિયાલા ગાવ પાસે ઠેબી નદી પર બનેલા પુલની હાલત અત્યંત ખરાબ છે. ગમે ત્યારે આ બ્રિજ સાથે દુર્ઘટના સર્જાઈ શકે તેવી હાલતમાં પુલ છે. નવો પુલ બનાવવામાં આવે તેવી માગ અનેક વખત કરવામાં આવી પરંતુ સરકાર અને પ્રશાસન દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે! જાન-માલના નુકસાનની તેમને કોઈ પરવાહ નથી! કોઈ મોટી દુર્ઘટના બને તેની પહેલા સરકાર આંખો ખોલે અને નવો પુલ બનાવે.

 

દુર્ઘટનામાંથી બોધપાઠ તો લઈએ છીએ પરંતુ થોડા સમય બાદ તેને ભૂલી જઈએ છીએ!

મહત્વનું છે કે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તંત્ર એકદમ એક્ટિવ મોડમાં દેખાય છે. એ વખતે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને એક્શન લેવામાં આવે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ લોકો અને પ્રશાસન દુર્ઘટનાને ભૂલી જાય છે. દુર્ઘટનામાંથી થોડા સમય માટે બોધપાઠ લેવામાં આવે છે પરંતુ તે લાંબો સમય નથી ટકતું. મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવતી હોય તેવું અનેક વખત લોકોને લાગતું હોય છે.!     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!