અનેક અભિનેતાઓએ પીએમ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો


  • Published By :
  • Published Date : 2022-12-30 14:02:11

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું નિધન વહેલી સવારે થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની માહિતી આપી હતી. ગાંધીનગર ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ માંને કાંધ આપી હતી. અને તેમને મુખાગ્નિ પણ આપી હતી. પીએમ મોદીના માતાના નિધનથી શોક છવાઈ ગયો હતો. નેતાઓએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત અનેક અભિનેતાઓએ પણ દુખ વ્યક્ત કર્યો હતો. 



કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુખ   

કંગના રણાવટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. દુખ વ્યક્ત કરતા કંગનાએ લખ્યું કે ઈશ્વર પ્રધાનમંત્રીને આ કઠિન સમયમાં ધૈર્ય અને શાંતિ આપે. કેપ્શનની સાથે કંગનાએ પીએમ મોદી અને હીરાબાની એક તસ્વીર શેર કરી હતી.


અક્ષયકુમારે પણ પાઠવી શ્રદ્ધાંજલિ

કંગના સિવાય અક્ષયકુમારે પણ આ ઘટનાને લઈ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અક્ષયકુમારે પોસ્ટ કરતા લખ્યું કે માંને ખોવાનું દુખ એક મોટુ દુખ હોય છે. પીએમ મોદીને આ દુખ સહન કરવાની શક્તિ આપે. 


અનુપમ ખેરે પણ પીએમ મોદીને સાંત્વના પાઠવી 

અક્ષયકુમાર સિવાય અનુપમ ખેરે પણ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અનુપમ ખેરે પોસ્ટ કરતા લખ્યું કે વડાપ્રધાન મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી દુખ થયું. પીએમનો તેમની માતા પ્રત્યે તમારો પ્રેમ જગ જાહેર છે. તેમનું સ્થાન જીવનમાં કોઈ નહીં ભરી શકે. તમે ભારત માંના સપૂત છે. અજય દેવગણે પણ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યુ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે