રાજ્યમાં સર્જાયા અનેક અકસ્માત! ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો બન્યા કાળનો કોળિયો! જાણો ક્યાં સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-04-19 12:28:11

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. અથવા તો અકસ્માતમાં ગંભીર રીતે લોકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે રાજ્યમાં અનેક એવા ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. એક અકસ્માત તરઘરી હાઈવે પર સર્જાયો છે જ્યારે બીજી દુર્ઘટના મહેસાણા- અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.   


કાર અને ટ્રેક્ટર વચ્ચે થઈ ટક્કર!

ત્યારે બુધવારે રાજ્યમાં ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. વહેલી સવારે જામનગર હાઈવે પર તરઘરી પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કાર અને ટ્રેક્ટર વચ્ચે થયો હતો જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતને પગલે લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મળતી માહિતી અનુસાર મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.  તે ઉપરાંત બીજી દુર્ઘટના મહેસાણા-અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.


લક્ઝરી બસ પલટી જતા થયા પેસેન્જરોના મોત!

મહેસાણા-અમદાવાદ હાઈવે પર પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ પલટી ગઈ હતી. બસ પલટતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના વહેલી સવારે અંદાજીત સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા તે ઉપરાંત બસને સીધી કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.   


યુવાન પર ફરી વળી ટ્રક!

તે સિવાય જૂનાગઢથી પણ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સક્કરબાગ નજીક ટ્રિપલ સવારી જઈ રહેલા યુવાનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બાઈક પર સવાર એક યુવાન જમીન પર પટકાઈ ગયો. જમીન પર પટકાયા બાદ પાછળથી આવેલી ટ્રક તેની પર ફરી વળી હતી. યુવાનનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે રૂંવાડા ઉભા કરી દે તેવા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.