કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 21:47:49

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજયના રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા હોય છે જો કે આજે નવો ટ્રેન્ડ જોવા મળ્યો. કોળી સમાજના અગ્રણી નેતા મનુભાઈ ચાવડા ભાજપને બાયબાય કરીને કોંગ્રેસમાં જોડાયા છે. કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી અને કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા તેમના ટેકેદારો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. મનુભાઈ ચાવડાએ પોતાના ટેકેદારો સાથે  કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મનુભાઈ ચાવડા ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે, આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર પણ તેઓ રહી ચુક્યા છે. 


મનુ ચાવડાના સુર બદલાયા ભાજપ પર પ્રહાર કર્યા


કોંગ્રેસમાં જોડાયા બાદ મનુ ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હાલની સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અને નાના અને મધ્યમ પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં થયું છે. અને તેથી તેઓ પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે.


મનુભાઈ ચાવડાના આગમનથી કોંગ્રેસને શું ફાયદો થશે? 


મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે અને અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં કોળી સમાજમાં મનુભાઈનું ભારે વર્ચસ્વ છે. મનુભાઈ SC-ST-OBC મહાસંઘના પ્રદેશ પ્રમુખ છે. મનુ ચાવડાના કોંગ્રેસમાં જોડવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કોળી સમાજની પ્રભુત્વ વાળી બેઠક પર અસર થશે અને કોંગ્રેસના 125 બેઠકના જીતવાના લક્ષ્યાંકને પાર કરવામાં મદદરૂપ થશે.




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.