મનસુખ વસાવાના આક્રમક તેવર, 'ચૈતર વસાવા નવો નિશાળીયો, તેને દુખે છે પેટ અને કુટે છે માથું'


  • Published By :
  • Published Date : 2024-02-21 19:25:00

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણીઓમાં આરોપ-પ્રત્યારોપ દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા સીટ માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારથી વર્તમાન સાંસદ મનસુખ વસાવા આક્રમક બન્યા છે. સાંસદ મનસુખ વસાવાએ આપના નેતા ઈસુદાન ગઢવી અને ચૈતર વસાવાને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા.


શું કહ્યું મનસુખ વસાવાએ?


સાંસદ મનસુખ વસાવા એ કહ્યું કે ચૈતર વસાવા મૂર્ખ છે, આ સાથે જ મનસુખ વસાવા એ ચેલેન્જ કરી કે કેજરીવાલ કે ઇસુદાન ગઢવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે વારાણસી થી ચૂંટણી લડી બતાવે. સાંસદે વધુમાં કહ્યું કે ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે એ નવો નિશાળીયો છે સાથે, ચૈતર વસાવા ને દુઃખે છે પેટ અને ફૂટે છે માથું. કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ગઠબંધનમાં બાળક જન્મે તે પેહલા નામકરણ કર્યું તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. અમારે ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી એમણે જે કરવું હોય તે કરે અમેં તો અમારું ઘર સાંભળવા માટેની તૈયારી હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડિપોઝીટ ગુમાવશે. ભરૂચ લોકસભાની હજુ ચૂંટણી જાહેર નથી થઇ તે  પહેલાછી રાજકારણ ગરમાયું છે.  


ચૈતર વસાવાનો BJPને ખુલ્લો પડકાર


ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી છૂટ્યા બાદ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમણે તાજેતરમાં જ એક નિવેદન કર્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે. ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે ભરુચ લોકસભામાં કોઈની તાકાત નથી કે ચૈતર વસાવાને જીતતા રોકી શકે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.