Chaitar Vasavaને લઈ Mansukh Vasavaએ આપ્યું નિવેદન, કહ્યું જે વ્યક્તિ પર ચૈતરે હુમલો કર્યો તે....


  • Published By :
  • Published Date : 2023-11-11 12:02:03

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે, તેમના પત્નીની ધરપકડ થઈ ગઈ છે. પોલીસ ચૈતર વસાવાની શોધખોળ કરી રહી છે. નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું છે જે ઘટસ્ફોટ કરે તેવું છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે વનવિભાગના કર્મચારીને મારવાની વાત થઈ રહી છે તે આમ આદમી પાર્ટીના જ છે. ચૈતર વસાવાએ પોતાની જ પાર્ટીના લોકોને માર માર્યો હોવાની વાત ભાજપના સાંસદે કરી છે. 

જે વ્યક્તિને ચૈતર વસાવાએ માર માર્યો તે આપ કાર્યકર્તાનો ભાઈ હતો!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ત્યારે ફરી એક વખત વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ ફરી જોવા મળ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ થયા બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પોલીસે ચૈતર વસાવાના પત્નીની ધરપકડ કરી લીધી છે. ત્યારે ચૈતર વસાવાને લઈ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ડેડિયાપાડાના જુના મોઝદામાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે જે બીટ ગાર્ડ વસંતને ઘરે બોલાવીને ચૈતરે માર માર્યો તેનો ભાઈ રામસિંગ AAPનો કાર્યકર છે.

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક સ્થળો પર નીકળી છે રેલી 

મહત્વનું છે કે જ્યારથી ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છએ. તે ઉપરાંત ગઈકાલે ભરૂચમાં આપના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે જઈ ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં હાજર લોકોએ ચૈતર વસાવાના ચહેરાનો માસ્ક પહેર્યો હતો. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર પણ હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન ચાલે છે. કોંગ્રેસના નેતા અનંત પટેલે પણ ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.