Chaitar Vasavaને લઈ Mansukh Vasavaએ આપ્યું નિવેદન, કહ્યું જે વ્યક્તિ પર ચૈતરે હુમલો કર્યો તે....


  • Published By :
  • Published Date : 2023-11-11 12:02:03

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા ફરાર છે, તેમના પત્નીની ધરપકડ થઈ ગઈ છે. પોલીસ ચૈતર વસાવાની શોધખોળ કરી રહી છે. નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં આવતું હોય છે ત્યારે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું છે જે ઘટસ્ફોટ કરે તેવું છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે વનવિભાગના કર્મચારીને મારવાની વાત થઈ રહી છે તે આમ આદમી પાર્ટીના જ છે. ચૈતર વસાવાએ પોતાની જ પાર્ટીના લોકોને માર માર્યો હોવાની વાત ભાજપના સાંસદે કરી છે. 

જે વ્યક્તિને ચૈતર વસાવાએ માર માર્યો તે આપ કાર્યકર્તાનો ભાઈ હતો!

નર્મદામાં વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ત્યારે ફરી એક વખત વસાવા વિરૂદ્ધ વસાવાનો જંગ ફરી જોવા મળ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ થયા બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પોલીસે ચૈતર વસાવાના પત્નીની ધરપકડ કરી લીધી છે. ત્યારે ચૈતર વસાવાને લઈ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ડેડિયાપાડાના જુના મોઝદામાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે જે બીટ ગાર્ડ વસંતને ઘરે બોલાવીને ચૈતરે માર માર્યો તેનો ભાઈ રામસિંગ AAPનો કાર્યકર છે.

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક સ્થળો પર નીકળી છે રેલી 

મહત્વનું છે કે જ્યારથી ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ત્યારથી આમ આદમી પાર્ટી દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છએ. તે ઉપરાંત ગઈકાલે ભરૂચમાં આપના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે જઈ ચૈતર વસાવાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં હાજર લોકોએ ચૈતર વસાવાના ચહેરાનો માસ્ક પહેર્યો હતો. ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર પણ હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન ચાલે છે. કોંગ્રેસના નેતા અનંત પટેલે પણ ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.           



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!