Mansukh Vasava ફરી એક વખત આક્રમક દેખાયા, જાણો આ વખતે શું કહ્યું કે થઈ રહી છે તેમના નિવેદનની ચર્ચા, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-29 09:51:48

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ સમય દરમિયાન નેતાઓના ભાષણોની ચર્ચા થવી સામાન્ય છે. નેતાઓ, ધારાસભ્ય, સાંસદો એવા ભાષણ આપે છે જેની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા. 

આક્રમક દેખાયા મનસુખ વસાવા! 

ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત ત્યાં જોવા મળતો હોય છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અનેક એવા નિવેદનો આપી દેતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાઈ જાય છે. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા આક્રમક દેખાયા છે. મનસુખ વસાવાએ જંગલોમાં નવું ખેડાણ બંધ કરવા પણ માંગ કરી છે.


મને મત સાથે લેવા દેવા નથી - મનસુખ વસાવા 

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે જંગલોમાં ઘાસ કાઢવા રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે. અને આ દવાઓના કારણે જંગલના જીવજંતુઓને ખુબ મોટું નુકશાન થાય છે અને જંગલને પણ નુકશાન થાય છે. સાથે મનસુખ વસાવાએ જણાવ્યું કે મને મત સાથે લેવા દેવા નથી મને વૃક્ષો સાથે પ્રેમ છે. ફરી એકવાર તેમણે આક્રમક તેવર જંગલોને બચાવવા માટે કર્યા છે.

લોકસભા ચૂંટણીમાં જોવા મળશે ખરાખરીનો જંગ 

મહત્વનું છે કે ચૈતર વસાવા હાલ જેમાં છે. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અવારનવાર આવતા રહે છે. તાજેતરમાં જ એક સંદેશો સામે આવ્યો છે જેમાં તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હમણાંનો માહોલ જોતા લાગે છે કે ભરૂચ બેઠક આ વખતની ચૂંટણીમાં ખૂબ રસપ્રદ રહેશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.