Mansukh Vasava - Chaitar Vasava જાહેરમાં બાજી પડ્યા! ચૈતર વસાવાએ કહ્યું કે નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ન આવ્યા? તો મનસુખ વસાવાએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-05-18 12:38:50

સામાન્ય દિવસોમાં પણ ભરૂચ ચર્ચામાં રહેતું હોય છે.. મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારોને લીધે.. આ વખતે લોકસભા ચૂંટણી વખતે પણ આ બેઠકની ચર્ચા થઈ કારણ કે મનસુખ વસાવાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે ચૈતર વસાવાને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પણ ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામ સામે આવી ગયા હતા..

મનસુખ વસાવાએ પોસ્ટ કરી જેમાં લખ્યું કે.... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી  કરાય. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેર-વર્તન થતાં ઓફિસ કર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. તે ઉપરાંત બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું કે જે બાબત ની જાણ થતાં હું તાત્કાલિક ડેડીયાપાડામાં પહોચી રહ્યો છું.  જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈ પણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે.

સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તૂ તૂ મેં મેં... 

ચૈતર વસાવા પણ ત્યાં હાજર હતા. બંને નેતાઓ આમને સામને આવી ગયા હતા જેને કારણે માહોલ ગરમાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મનસુખ વસાવા જેવાં ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચૈતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે, તમે જે આક્ષેપ કર્યો છે એના તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો. ખોટા ખોટા અહીંયા કેમ દોડી આવો છો...

મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી... 

પછી મનસુખ વસાવાએ કહ્યું  હું નહિ તું અહીંયા ખોફ ઉભો કરે છે. હું અહીંયાનો સાંસદ છું, મને આ બાબતની જાણ થઈ એટલે મારે આવવું પડે. તો ચૈતર વસાવાએ કહ્યું એ તો 4 જૂને ખબર પડશે. વધુમાં ચૈતર વસાવાએ કહ્યું 'છોટાઉદેપુરમાં નકલી કચેરી પકડાઈ, ડેડીયાપાડામાં મનરેગા, નલ સે જલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું ન કર્યું, હમણાં તમારી સરકાર છે.' તે સિવાય દારૂબંધી વાળા રાજ્યમાં તેઓ દારૂની વાતો પણ કરતા સંભળાયા.. મહત્વનું છે કે ધારાસભ્ય અને સાંસદ આવી રીતે બાજતા ભાગ્યે જ જોવા મળે છે ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવો...  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.