દેહરાદૂન: PM મોદીની 'મન કી બાત' સાંભળવા ન આવેલા વિદ્યાર્થીઓને રૂ.100નો દંડ, શિક્ષણ વિભાગે સ્કૂલને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-05 16:37:12

PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓને દંડ ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ઉત્તરાખંડના દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. સ્કૂલ દ્વારા દંડ ફટકારવાના મામલે રાજકારણ ગરમાયું છે.


નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સે માગ્યો જવાબ 


GRD નિરંજનપુર એકેડમી પર PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવાનો આરોપ લાગ્યો છે. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.


સ્કૂલ મેનેજમેન્ટએ કર્યો હતો આદેશ


આ મુદ્દે આરિફ ખાને જણાવ્યું કે, GRD એકેડમીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ માટે શાળાએ ન પહોંચેલા બાળકોને 100 રૂપિયાનો દંડ અથવા મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ અંગેના આદેશો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં જારી કરવામાં આવ્યા છે. માતાપિતાએ તેમને આ ઓર્ડરનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો છે.


ચીફ એજ્યુકેશન ઓફિસરે સ્કૂલને ફટકારી નોટિસ 


આ મામલે વિવાદ વધતા ચીફ એજ્યુકેશન ઓફિસર પ્રદીપ કુમારે કહ્યું કે ફરિયાદની નોંધ લેતા એકેડમીને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. જો શાળા ત્રણ દિવસમાં પોતાનો પક્ષ રજૂ નહીં કરે તો સમજાશે કે શાળા વતી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. આ પછી વિભાગ કાર્યવાહી કરશે. ફરિયાદી એસોસિએશન પાસેથી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.