CBIને બેંક લોકરમાંથી કાંઈ ન મળ્યું, રાજકીય ષડયંત્રનો મનીષ સિસોદિયાનો આરોપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 15:10:15

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના બેંક લોકરની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી.  સીબીઆઈની તપાસ પુર્ણ થયા બાદ  મનીષ સિસોદિયાએ કહ્યું  કે સત્યની જીત થાય છે. સીબીઆઈની ટીમને લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. સીબીઆઈ પર પીએમ મોદીનું દબાણ છે, કોઈ પણ રીતે મનીષ સિસોદિયાને જેલમાં નાખો. એક રૂપિયાની પણ હેરાફેરી કરી નથી. સિસોદિયાએ વડા પ્રધાન મોદીને ટોણો મારતા કહ્યું કે મને આનંદ છે કે તેમણે મારા ઘર પર દરોડો પડાવ્યો, જોકે મારા બેંક લોકરમાંથી કાંઈ જ મળ્યું નથી. આ બાબત પુરાવો છે કે પીએમની તપાસમાં હું અને મારો પરિવાર અણીશુધ્ધ સાબિત થયા.    


મનીષ સિસોદિયા એમને તેમની પત્ની ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4 સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં તપાસ માટે ગયા હતા. સીબીઆઈની ટીમ પણ અહીં હાજર હતી. તે જ સમયે, લોકરની તપાસ પૂર્ણ થયા પછી, તેમણે મીડિયાની સામે આવીને આ નિવેદન આપ્યું હતું. સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે કેજરીવાલને આગળ વધતા રોકવા માટે તેમને એક ખોટા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. 


સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથીઃ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તરફથી બેંકની અંદર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અહીં મીડિયા સાથે વાત કરતા સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ તપાસમાં કંઈ મળ્યું નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા  કહ્યું કે આ માત્ર તેમના દબાણથી થઈ રહ્યું છે. જેથી તેમને 2 કે 3 મહિના જેલમાં મોકલી શકાય.


અધિકારીઓ પણ સહમત છે કે અમે કંઈ ખોટું કર્યું નથીઃ સિસોદિયા


મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું કે તેમના નોકર સિવાય સીબીઆઈએ ઘર અને અન્ય જગ્યાએ તપાસ કરી હતી પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. અંતે તેમણે એમ પણ કહ્યું કે સત્યની હંમેશા જીત થાય છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે CBI તપાસમાં સામેલ અધિકારીઓ પણ માને છે કે મનીષ સિસોદિયાએ કંઈ ખોટું કર્યું નથી. તેમણે પોતાને સીબીઆઈ અધિકારી તરીકે અને પોતાના વતી ક્લીનચીટ આપી હતી.


લીકર પોલીસી કેસમાં તપાસ 


નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ શરાબ નીતિમાં ગેરરીતિના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટમાં સિસોદિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા પાસે છે.



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.