ગુજરાતમાં મનીષ સિસોદિયા કરશે ચૂંટણી પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 18:08:18

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બાદ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  6 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ બસ હવે પરિવર્તન જોઈએની થીમ પર ચૂંટણી પ્રચાર કરવાના છે. ઉત્તર ગુજરાતમાં તેઓ પ્રચાર કરવાના છે.

'બસ હવે પરિવર્તન જોઈએ' થીમ પર સિસોદિયા કરશે યાત્રા

અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. મનીષ સિસોદિયા ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએની ટીમ પર પ્રચાર કરવાની છે. 21 સપ્ટેમ્બરથી નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી યાત્રા કરવાના છે. સાબરમતી આશ્રમ ખાતેથી તેમની યાત્રાનો પ્રારંભ થવાનો છે.

What next for Manish Sisodia, raided over Delhi liquor policy? - India News

વડોદરામાં અરવિંદ કેજરીવાલે કર્યો પ્રચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રચાર દરમિયાન અનેક વાયદા કર્યા છે. તેમણે કહ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.  આ અગાઉ તેમણે 300 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત કહી હતી. ઉપરાંત બેરોજગારોને બેરાડગારી ભથ્થું આપવામાં આવશે તેવી અનેક જાહેરાતો તેમના દ્વારા કરવામાં આવી છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.