મનિષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, આજે સાંજે 4 વાગ્યે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-28 13:58:41

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ લિકર પોલીસી મામલે પોતાની ધરપકડ અને CBI તપાસની સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોંગ્રેસ નેતા અને સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અભિષેક મનુ સિંઘવીએ દાખલ કરેલી અરજીમાં ઝડપી સુનાવણીની માગ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અભિષેક મનુ સંઘવીની રજૂઆત સાંભળ્યા બાદ પૂછ્યું કે, તેઓ સીધા સુપ્રીમ કોર્ટ જતા પહેલાં હાઈકોર્ટમાં કેમ ન ગયા. ત્યારે સિંઘવીએ વિનોદ દુઆ કેસનો સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો હવાલો આપ્યો હતો. એ પછી ચીફ જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું કે, તેઓ આ મામલે સુનાવણી સાંજે લગભગ 4 વાગે કરશે.


સિસોદિયા  4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં


મનિષ સિસોદિયાનો આરોપ છે કે, જ્યારે તેઓ CBIની તપાસમાં સહયોગ આપી રહ્યા હતા તો પછી ધરપકડ કેમ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સોમવારે પાંચ દિવસ માટે CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. તપાસ એજન્સીએ આપના નેતાને વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા અને પાંચ દિવસની કસ્ટડીની અપીલ કરી હતી. એ પછી વિશેષ જજ એમ.કે. નાગપુરે સિસોદિયાને ચાર માર્ચ સુધી CBIકસ્ટડીમાં મોકલ્યા હતા.


સિસોદિયા પર આરોપ શું છે?


લીકર પોલિસીમાં CBIની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક IAS અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું- સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમની ધરપકડ કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.