મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામુ આપતા હડકંપ, CM કેજરીવાલે પણ સ્વિકાર્યુ


  • Published By :
  • Published Date : 2023-02-28 19:04:43

દિલ્હીમાં કેજરીવાલ સરકારના બે મંત્રીઓ મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર  જૈને મંગળવારે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 33માંથી 18 વિભાગો છે હવે તેમના રાજીનામા બાદ તેમનો હવાલો કોણ સંભાળશે તે એક સવાલ છે.


CM કેજરીવાલે સ્વિકાર્યા રાજીનામા


મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પદ પરથી રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સી અનુસાર, મુખ્યમંત્રી કેજરીવાલે પણ બંને મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામું આપનાર બંને નેતાઓ અલગ-અલગ કેસમાં આરોપી છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા 9 મહિનાથી જેલમાં જ છે.


સુપ્રીમમાંથી રાહત ન મળી 


મનીષ સિસોદિયાની દિલ્હી લિકર પોલીસી કેસમાં રવિવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં સફળ રહી હતી. મંગળવારે સિસોદિયા સીબીઆઈની આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત ન મળી નહોતી. 


CJIએ HCમાં જવાની સલાહ આપી


સુપ્રીમે કોર્ટના CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાએ સિસોદિયાના વકીલને સલાહ આપતા કહ્યું કે 'તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ પાસે જામીન કેમ માગી રહ્યા છો, બેંચેકહ્યું કે આ કેસ દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.


હવે દિલ્હી હાઈકોર્ટમાં કરશે અરજી


આમ આદમી પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટની સલાહ પર આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે. પક્ષે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.