મનીષ સિસોદીયાની જ્યુડિશિયલ કસ્ટડી 1 જૂન સુધી લંબાવાઈ, અરવિંદ કેજરીવાલે વીડિયો શેર કરી દિલ્હી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-05-23 14:38:22

છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે મનીષ સિસોદીયાને દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનીષ સિસોદીયાને લઈ જવાઈ રહ્યા હતા જે દરમિયાનનો વીડિયો અરવિંદ કેજરીવાલે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે મનીષ સિસોદીયા સાથે દુર્વ્યવહાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને આવું કરવા માટે ઉપરથી કહેવામાં આવ્યું હતું?

     

1 જૂન સુધી વધારાઈ મનીષ સિસોદીયાની કસ્ટડી!      

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદીયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ તરફથી દિલ્હીના પૂર્વ ડે. સીએમને કોઈ રાહત નથી મળી. તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામાં આવી છે. 1 જૂન સુધી તેમની કસ્ટડી વધારવામાં આવી છે. આજે કોર્ટ સમક્ષ મનીષ સિસોદીયાને હાજર કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે એક વીડિયો ટ્વિટ કર્યો છે. અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ વીડિયો શેર કર્યો છે જેમાં મનીષ સિસોદીયાને લઈ જવામાં આવી રહ્યા હતા. 


અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાનો વીડિયો કર્યો શેર! 

વીડિયો શેર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને મનીષજી સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર છે? શું પોલીસને આવું કરવા ઉપરથી કહેવામાં આવ્યું છે? સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી આ વાતનો વિરોધ અરવિંદ કેજરીવાલે કર્યો હોય તેવું લાગે છે. આ વીડિયો ટ્વિટ કરાતા દિલ્હી પોલીસે આ વાતનો જવાબ આપ્યો છે. દિલ્હી સરકારના મંત્રીએ વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કર્યો અને જે પોલીસ કર્મી દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે આ મામલે દિલ્હી પોલીસે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. દિલ્હી પોલીસે જવાબ આપતા કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ આ જરૂરી હતું.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.