મનીષ સિસોદિયાને નહીં મળે જામીન, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી, 3 એપ્રિલ સુધી રહેશે જેલમાં


  • Published By :
  • Published Date : 2023-03-31 18:18:21

દિલ્હી લિકર પોલીસી કેસમાં તિહાર જેલમાં બંધ AAP નેતા અને દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે (31 માર્ચ, 2023) ફગાવી દીધી છે. હવે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં જશે, CBI અને ED દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયા 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.  CBIએ 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાની 2021-22ની દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની રચના અને અમલીકરણમાં કથિત સંડોવણીના સંબંધમાં ધરપકડ કરી હતી.


સિસોદિયાની જામીન માટે કરી જોરદાર રજુઆત


એક સપ્તાહ પહેલા આ મામલાની સુનાવણી બાદ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. ગત સપ્તાહે સીબીઆઈએ શરાબ કૌંભાંડ કેસનું વિવરણ અને પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સીબીઆઈની દલીલ પહેલા મનીષ સિસોદિયાના ટ્રાયલમાં પોતાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં રાખવાનો સીબીઆઈનો હેતું પુરો થશે નહીં. આ કેસમાં તમામ રિકવરી પહેલા જ થઈ ચુકી છે. મે સીબીઆઈની તપાસમાં સંપુર્ણ સહયોગ આપ્યો છે. તેમણે મને જ્યારે પણ બોલાવ્યો હું હાજર થઈ ગયો છું. તેમણે દલીલ કરી કે પબ્લિક લાઈફમાં એક્ટિવ રહેવાના કારણે તેઓ સમાજ સાથે ખુબ જ ગાંઢ રીતે સંકળાયેલા છે, આ બાબતને ધ્યાનમાં રાખીએ તો તેઓ જામીનના હકદાર છે.  


સીબીઆઈએ કર્યો જામીનનો વિરોધ


સીબીઆઈના વકીલે મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો હતો, સીબીઆઈના વકીલ ડીપી સિંહએ છેલ્લા સપ્તાહે સિસોદિયાની જામીન અરજીનો તેવું કહીને વિરોધ કરતા દલિલ કરી હતી કે જો તેમને જામીન મળશે તો તેઓ તપાસને પ્રભાવીત કરી શકે છે. સીબીઆઈએ દાવો કર્યો હતો કે મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમણે મોબાઈલ એટલા માટે તોડી નાખ્યા હતા કેમ કે તે અપગ્રેડ કરવા ઈચ્છતા હતા. સીબીઆઈના વકીસે દલીલ કરી કે તે જે કહીં રહ્યા છે તે સત્ય નથી. સત્ય એ છે કે સિસોદિયાએ ચેટને ખતમ કરવા માટે આવું કહ્યું હતું. આ સ્થિતીમાં જો તેમને જામીન મળે છે તો પુરાવા સાથે છેડછાડ અને તેને નષ્ટ કરી શકે છે. આ કારણે તપાસ પણ પ્રભાવિત થઈ શકે છે.  


અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી, જ્યારે મની લોન્ડ્રિગ કેસમાં 9 માર્ચે ઈડીએ ધરપકડ કરી હતી. ત્યારથી તેમને એક પણ વખત જામીન મળ્યા નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.