મનીષ સિસોદિયાને નહીં મળે જામીન, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન અરજી ફગાવી, 3 એપ્રિલ સુધી રહેશે જેલમાં


  • Published By :
  • Published Date : 2023-03-31 18:18:21

દિલ્હી લિકર પોલીસી કેસમાં તિહાર જેલમાં બંધ AAP નેતા અને દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે (31 માર્ચ, 2023) ફગાવી દીધી છે. હવે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં જશે, CBI અને ED દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયા 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.  CBIએ 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાની 2021-22ની દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની રચના અને અમલીકરણમાં કથિત સંડોવણીના સંબંધમાં ધરપકડ કરી હતી.


સિસોદિયાની જામીન માટે કરી જોરદાર રજુઆત


એક સપ્તાહ પહેલા આ મામલાની સુનાવણી બાદ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. ગત સપ્તાહે સીબીઆઈએ શરાબ કૌંભાંડ કેસનું વિવરણ અને પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સીબીઆઈની દલીલ પહેલા મનીષ સિસોદિયાના ટ્રાયલમાં પોતાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં રાખવાનો સીબીઆઈનો હેતું પુરો થશે નહીં. આ કેસમાં તમામ રિકવરી પહેલા જ થઈ ચુકી છે. મે સીબીઆઈની તપાસમાં સંપુર્ણ સહયોગ આપ્યો છે. તેમણે મને જ્યારે પણ બોલાવ્યો હું હાજર થઈ ગયો છું. તેમણે દલીલ કરી કે પબ્લિક લાઈફમાં એક્ટિવ રહેવાના કારણે તેઓ સમાજ સાથે ખુબ જ ગાંઢ રીતે સંકળાયેલા છે, આ બાબતને ધ્યાનમાં રાખીએ તો તેઓ જામીનના હકદાર છે.  


સીબીઆઈએ કર્યો જામીનનો વિરોધ


સીબીઆઈના વકીલે મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો હતો, સીબીઆઈના વકીલ ડીપી સિંહએ છેલ્લા સપ્તાહે સિસોદિયાની જામીન અરજીનો તેવું કહીને વિરોધ કરતા દલિલ કરી હતી કે જો તેમને જામીન મળશે તો તેઓ તપાસને પ્રભાવીત કરી શકે છે. સીબીઆઈએ દાવો કર્યો હતો કે મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમણે મોબાઈલ એટલા માટે તોડી નાખ્યા હતા કેમ કે તે અપગ્રેડ કરવા ઈચ્છતા હતા. સીબીઆઈના વકીસે દલીલ કરી કે તે જે કહીં રહ્યા છે તે સત્ય નથી. સત્ય એ છે કે સિસોદિયાએ ચેટને ખતમ કરવા માટે આવું કહ્યું હતું. આ સ્થિતીમાં જો તેમને જામીન મળે છે તો પુરાવા સાથે છેડછાડ અને તેને નષ્ટ કરી શકે છે. આ કારણે તપાસ પણ પ્રભાવિત થઈ શકે છે.  


અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી, જ્યારે મની લોન્ડ્રિગ કેસમાં 9 માર્ચે ઈડીએ ધરપકડ કરી હતી. ત્યારથી તેમને એક પણ વખત જામીન મળ્યા નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે