દિલ્હી લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને ફરી ઝટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-30 14:03:42

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાને ફરી એકવાર મોટો ઝટકો આપતા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. દારુ કૌભાંડમાં કથિત કૌભાંડને લઈને સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે સિસોદિયાની અપીલને ફગાવી દેતા પુરાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં.


પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા


મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર કરતાં જસ્ટિસ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે તેઓ પ્રભાવશાળી સ્થિતિમાં છે અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે મોટાભાગના સાક્ષીઓ સરકારી નોકર હતા. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, આરોપોની પ્રકૃતિ ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. 


CBIએ લગાવ્યા ગંભીર આરોપ 


CBIવતી કોર્ટમાં હાજર થયેલા એએસજી એસવી રાજુએ કહ્યું કે, આ કૌંભાંડ એક પૂર્વ આયોજીત ષડયંત્ર હેઠળ આચરવામાં આવ્યું હતું. પ્રોફિટ માર્જિન પાંચથી વધારીને 12 ટકા કરવાની કોઈ નોંધ નથી. આ અંગે કોઈ ચર્ચા નથી. વ્યાજદરમાં વધારાનું કારણ ફાઇલમાં સામેલ કરવું જોઈએ. તપાસ એજન્સીએ કહ્યું કે, તેઓ હોલસેલરોને આટલો નફો કેમ આપી રહ્યા છે? જેથી તેના બદલે તેઓ લાંચ મેળવી શકે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.